મેન્યુઅલ કે ઓટોમેટિક? જાણો બંનેમાંથી કઈ કાર વધારે માઇલેજ આપે છે

આજકાલ જ્યારે લોકો કાર ખરીદવા જાય છે તો તેઓ ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર પર વધારે ભાર આપે છે. કારણ કે આ કારોને સ્ટેટસ સિમ્બલના રૂપમાં જોવામાં આવે છે. જેને ભારતમાં આજે પણ એક પ્રીમિયમ કાર ફીચર માનવામાં આવે છે. જો તમે નવી ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો અને મૂંઝવણમાં છો કે તમારે ઓટોમેટિક કાર ખરીદવી જોઇએ કે પછી મેન્યુઅલ તો આ લેખ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ઓટોમેટિક ગિયરબોક્સ વાળી કાર

મોટાભાગના મામલાઓમાં ઓટોમેટિક કાર મેન્યુઅલની તુલનામાં ઓછું ફ્યૂલ વાપરે છે. લાંબા સમયમાં મેન્યુઅલની તુલનામાં ઓટોમેટિક કાર ચલાવવી સસ્તી પડી શકે છે. ઓટોમેટિક કારોને સામાન્ય રીતે બજેટ ફ્રેન્ડલી ગાડીના રૂપમાં જોવામાં આવે છે. જોકે, મેન્યુઅલની સરખામણીમાં આ કારોની કિંમત વધારે હોય છે. આ કારોમાં ગિયર રેશિયો વધારે સારો હોય છે જો તમે ધીમી ગતિએ કાર ચલાવતા હોય તો. અમુક આધુનિક ઓટોમેટિક કારો વધારે સક્ષમ એન્જિન અને ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન સિસ્ટમ જેવી સુવિધાઓનો પણ દાવો કરે છે. આ બંને ફ્યૂલના વપરાશને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

મેન્યુઅલ કાર ખરીદવી ફાયદાકારક કે નહીં

સારું માઇલેજ મેળવવા માટે મેન્યુઅલ કારોનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે તેનો ગિયર રેશિયો સેટ કરવા માટે તમારે મેન્યુઅલી પોતાનો સહારો લેવો પડે છે, જે તમને રસ્તાની પરિસ્થિતિઓ અનુસાર ગિયર ચેન્જ કરવાની પરવાનગી આપે છે. મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારોમાં તમે ગાડીને ગિયરમાં નાખો છો, પગને ક્સચ પરથી હટાવો છો અને જ્યાં સુધી તમે તેને હટાવતા નથી કાર તે ગિયરમાં લોક રહે છે. પણ ઓટોમેટિક કારોમાં આવું હોતું નથી. મેન્યુઅલ કારોની કિંમત ઓટોમેટિક કારો કરતા ઓછી હોય છે. જે આ કારોને બજેટ ફ્રેન્ડલી અને વધારે માઇલેજવાળી બનાવે છે.

બંનેમાં બેસ્ટ કઈ?

જો તમારું ધ્યાન માત્ર અને માત્ર માઇલેજ પર છે તો તમે મેન્યુઅલ કાર ખરીદી શકો છો. તો બીજી બાજુ તમે ઓછો થાક અને સારો ડ્રાઈવિંગ અનુભવ લેવા માગો છો, તો તમારા માટે ઓટોમેટિક કાર બેસ્ટ વિકલ્પ સાબિત થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.