મારુતિ સુઝુકીની આ કારને કંપનીએ પાછી બોલાવી, જાણો શું છે કારણ

મારુતિ બલેનો RS મોડલના 7213 યુનિટને રિકોલ કર્યો છે. કંપનીએ જાણકારી આપી છે કે, 27 ઓક્ટોબર 2016 થી 1 નવેમ્બર 2019 વચ્ચે ઉત્પાદિત કરવામાં આવેલા બલેનો RS મોડલને પાછા મંગાવવામાં આવી છે અને એમ વેક્યૂમ પંપમાં ડિફેક્ટના કારણે કરવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું કે, ‘એવી આશંકા છે કે વેક્યૂમ પંપમાં ખરાબી થઈ શકે છે, જે બ્રેક ફંક્શન્સને મદદ કરે છે. કેટલાક કેસમાં પ્રભાવિત થયેલા વાહન બ્રેક પેડલ ફંક્શનમાં વધારે મહેનતની જરૂરિયાત પડશે.’

 મારુતિ સુઝુકીએ જાણકારી આપી છે કે, પ્રભાવિત વાહનોને કંપનીના સત્તાવાર ડિલરશીપથી ખરાબ પાર્ટ્સને બદલવા માટે સંપર્ક કરવામાં આવશે. વાહનોમાં પાર્ટ્સમાં બદલવા માટે કંપની ગ્રાહકો પાસે કોઈ પણ પૈસા નહીં લે. મારુતિ સુઝુકીએ બલેનો RS મોડલને ભારતમાં વર્ષ 2020માં બંધ કરી દીધું હતું અને તેનું કારણ BS6 ઉત્સર્જન માનાંક અને ઓછું વેચાણ હતું. તેને સૌથી પહેલા વર્ષ 2017માં લાવવામાં આવી હતી જે રેગ્યુલર બલેનોનું સ્પોર્ટી RS મોડલ હતી.

મારુતિ બલેનો RSમાં  3 સિલિન્ડર, ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું હતું જે 102 hpનો પાવર અને 150 ન્યૂટન મીટર (Nm)નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 10 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી લેતી હતી. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ રૂપે આપવામાં આવ્યું હતું. ડિઝાઇનની વાત કરીએ તો તેમાં રેગ્યૂલર બલેનો જેવી રાખવામાં આવી હતી અને તેને માત્ર સિંગલ વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રી હતી જે બલેનોના ટોપ મોડલના ફીચર્સ સાથે આવતી હતી.

તેમાં ડબલ એરબેગ, આઇસોફિક્સ ચાઈલ્સ સીટ માઉન્ટ, રિયર પાર્કિંગ સેન્સર, 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ઓટોમેટિક એર કન્ડિશનિંગ અને ઓટો LED પ્રોજેક્ટ હેડલાઇટ, DRL સાથે આપવામાં આવી છે. આ મહિને કંપનીએ પોતાની કારોની કિંમતમાં વૃદ્ધિ કરી છે. મારુતિ આર્ટિગાની કિંમતની વાત કરીએ તો તેની કિંમતમાં 15,000 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે. મારુતિ ઈગ્નિસની વાત કરીએ તો તેની કિંમતમાં 2,000 રૂપિયાની વૃદ્ધિ કરવામાં આવી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.