આ કાર કંપની ભારતમાં વેચી રહી છે માત્ર 1 મોડલ, તેમાં પણ ભારે ડિસ્કાઉન્ટ

ભારતમાં ઘણી કાર કંપનીઓ ઘણી સેગમેન્ટમાં પોતાની કારો વેચી રહી છે. પછી તે હેચબેક હોય કે SUV. દરેક કંપનીના એક ખાસ સેગમેન્ટમાં 2-3 મોડલ્સ જરૂર વેચી રહી છે. હાલના સમયમાં એક કાર કંપનીને માર્કેટમાં બન્યા રહેવા માટે દરેક સેગમેન્ટમાં પોતાની કારોને રજૂ કરવી જરૂરી છે. જો કે, ભારતમાં કાર વેચનારી એક એવી કંપની છે કે માત્ર એક મોડલના બળે બજારમાં ટકેલી છે. જાપાની કાર નિર્માતા નિસાન ભારતમાં માત્ર એક જ મોડલ વેચી રહી છે.

એક સમય હતો, જ્યારે નિસાન ભારતમાં હેચબેક, સેડાન અને SUVનું વેચાણ કરી રહી હતી, પરંતુ આજે કંપની માત્ર એક મોડલ પર આવી ગઈ છે. હાલના સમયમાં નિસાન ભારતમાં માત્ર એક મોડલ Nissan Magnite SUVનું વેચાણ કરી રહી છે જે ટાટા પંચ, રેનો કાઈગર અને હ્યુન્ડાઇ વેન્યૂ જેવી કારોને ટક્કર આપે છે. નિસાન એ જ કંપની છે જે ભારતમાં સની, માઇક્રા, ટેરાનો અને કેપ્ચર જેવી પોપ્યુલર કારોનું વેચાણ કરતી હતી.

કેમ થઈ એવી હાલત?

નિસાનની કેટલીક કારો ઓછા સેલ્સના કારણે તો કેટલીક નવી એમિશન નૉર્મસ મુજબ અપગ્રેડ ન થવાના કારણે બંધ કરી દેવામાં આવી. ભારતીય બજારમાં હોન્ડા, મારુતિ અને હ્યુન્ડાઈથી મળી રહેલી સખત ટક્કરના કારણે નિસાનની કારો વધુ વેચાઈ રહી નહોતી. એ સિવાય કંપનીના લાઇનઅપની મોટા ભાગની કારો રેનોની કારોનું રિબેઝ્ડ વર્ઝન હતી. આ કારણે ઘણી બાબતે સારી હોવા છતા આ કારો લોકોને પસંદ ન આવી. ભારતમાં કંપનીની બંધ થનારી અંતિમ કાર નિસાન કેપ્ચર હતી, જેને BS-6 ફેઝ-2માં અપગ્રેડ ન થવાના કારણે બંધ કરી દેવામાં આવી. તો આ કાર બંધ થવાનું વધુ એક કારણ તેનું ઓછું વેચાણ પણ રહ્યું.

ઉલ્લેખનીય છે કે નિસાન હવે ભારતીય માર્કેટમાં એક જ કાર મોડલ જ વેચી રહી છે અને તે છે નિસાન મેગ્નાઇટ. આ કારણે કંપનીની પાછલી બધી કારોથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. જો કે, કોમ્પિટિશન સાથે તુલના કરીએ મેગ્નાઇટની સેલ્સ પણ વધારે નથી. ભારતમાં કંપની આ SUVના દર મહિને 3000 યુનિટ વેચી શકે છે. નિસાન મેગ્નાઇટને ભારતીય માર્કેટમાં 6 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ)ની શરૂઆતી કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો તેના ટોપ વેટિયન્ટની કિંમત 10.7 લાખ રૂપિયા સુધી જાય છે. તો મે મહિનામાં કંપની કાર પર 57,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. નિસાન ઇન્ડિયન આગામી વર્ષે ભારતમાં X-Trail, Qashqai અને Juke જેવી કારો લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.