ISRO ચીફે જણાવ્યું કે, શા માટે તેમણે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પસંદ કર્યો

ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-3એ ઘણી બાધાઓ અને મુશ્કેલીઓને પાર કરતા બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરી દેશને દુનિયાના ખાસ અવકાશ ક્લબમાં સામેલ કરી દીધું છે. આ લેન્ડિંગની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે અવકાશ યાન ઉતારનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. કારણ કે એન્જિનમાં ખરાબીને કારણે તે ક્ષેત્રમાં ચંદ્રની સપાટી પર પહોંચવાનો રશિયાનો પ્રયાસ રવિવારે નિષ્ફળ રહ્યો હતો.

ચંદ્રની સપાટી પર અવકાશ યાન ઉતારવાનો ભારતનો આ ત્રીજો પ્રયાસ હતો. આ પહેલા ચંદ્રયાન 2 સપ્ટેમ્બર 2019માં ચંદ્ર પર લેન્ડર અકસ્માત થયા પછી આંશિક નિષ્ફળતાના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવ્યું હતું.

ઈસરોના પ્રમુખ એસ.સોમનાથે જણાવ્યું કે કારણ કે ચંદ્રયાન 2ની હાર્ડ લેન્ડિગ થઇ હતી. માટે તેઓ કશું પણ રીકવર કરી શક્યા નહોતા. માટે ચંદ્રયાન 3 માટે બધું નવી રીતે તૈયાર કરવું પડ્યું.

ઈસરો ચીફે જણાવ્યું કે, આ મિશન માટે બધુ જ નવું હતું. શરૂઆતથી તૈયારી કરવી પડી. અમે ચંદ્રની સપાટી પરથી ચંદ્રયાન-2નો કોઇ ભાગ હાંસલ કરી શક્યા નહોતા. ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી અમારું પહેલું વર્ષ એ જાણવામાં વીતી ગયું કે ચંદ્રયાન 2માં શું ખરાબી થઇ હતી. પછી બીજા વર્ષે અમે બધું સંશોધિત કર્યું. પાછલા 2 વર્ષ અમે પરીક્ષણમાં પસાર કર્યા.

ઈસરો ચીફે આગળ કહ્યું કે, ઈસરો સંસ્થાને કોરોના મહામારીના કારણે ખાસ્સુ નુકસાન થયું હતું. કોરોનાને કારણે અમારા કાર્યક્રમ બાધિત થયા હતા. પણ અમુક રોકેટ અમે લોન્ચ કરતા રહ્યા...કોરોના પછી અમે પાછા પાટા પર આવી ગયા.

આ મિશનની ઉપલબ્ધિઓ એ કારણે ખાસ છે, કારણ કે હજુ સુધી કોઇ ચંદ્રના સાઉથ પોલની પાસે સોફ્ટ લેન્ડિગ કરી શક્યું નહોતું. 6 પૈંડા પર ચાલનારું રોવર આવનારા 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર જુદા જુદા પ્રકારના પ્રયોગ કરશે. બંને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની મિશન લાઇફ ચંદ્રના માત્ર 1 દિવસની છે. જે પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. ચંદ્ર પર વિશિષ્ટ કાર્યોના આ લેન્ડર મોડ્યુલમાં પાંચ પેલોડ મોકલવામાં આવ્યા છે.

એસ.સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3નો ખરો હિસાબ ચંદ્રના સાઉથ પોલ પર કે તેની પાસે ઉતરવાનો જ હતો. સાઉથ પોલ પર મોટા પ્રમાણમાં વૈજ્ઞાનિક સંભાવનાઓ છે. જે ચંદ્ર પર પાણી અને ખનીજોની ઉપસ્થિતિથી સંબંધિત છે.

તેમણે એ પણ કહ્યું કે, આવી અન્ય ઘણી ભૌતિક પ્રક્રિયાઓ છે, જેની વૈજ્ઞાનિક તપાસ કરવા માગીશું. અમારા પાંચ ઉપકરણો તે ક્ષેત્રોની ખોજ માટે જ લક્ષિત છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.