ગુજરાત હાઇકોર્ટે 3 સુરક્ષા ગાર્ડોને આપ્યા જામીન, શું જયસુખ પટેલને પણ મળશે?

ગુજરાત હાઇ કોર્ટે ગયા વર્ષે મોરબી વિસ્તારમાં પડી ગયેલા પુલ પર ફરજ બજાવતા 3 સુરક્ષા ગાર્ડની જામીન અરજી ગુરુવારે મંજૂર કરી લેવામાં આવી હતી. મોરબીમાં ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ બ્રિટિશ કાલીન પુલ પડી જવાથી 135 લોકોના મોત થઈ ગયા હતા અને 56 ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ન્યાયાધીશ સમીર દવેએ અરજીકર્તાઓને રાહત આપતા તેમના વકીલની એ દલીલો પર ધ્યાન આપ્યું કે, સુરક્ષા ગાર્ડ માત્ર પોતાનું કામ કરી રહ્યા હતા અને નિર્ણય લેવાની એ પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નહોતી, જેના કારણે આ દુર્ઘટના થઈ.

આ પુલની દેખરેખ અને સમારકામની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી. હાઇ કોર્ટે સંક્ષિપ્ત સુનાવણી બાદ અલ્પેશ ગોહિલ (ઉંમર 25 વર્ષ), દીલિપ ગોહિલ (ઉંમર 33 વર્ષ) અને મુકેશ ચૌહાણ (ઉંમર 26 વર્ષ)ની જામીન અરજી મંજૂર કરી લીધી હતી. આ ત્રણેય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં તૂનકી વજૂ ગામના રહેવાસી છે. તેઓ આ કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા 10 આરોપીઓમાં સામેલ છે.

3 આરોપીઓના વકીલ એકાંત આહુજાએ કહ્યું કે, તેમના ક્લાયન્ટોને ઓરેવા ગ્રુપે વાસ્તવમાં મજૂરોના રૂપમાં કામ પર રાખ્યા હતા, પરંતુ તેમને ઘટનાવાળા દિવસે પુલ પર સુરક્ષા ગાર્ડન રૂપમાં તૈનાત કરવામાં આવ્યા હતા કેમ કે એ દિવસે તેમની અઠવાડિયાની રજા હતી. લોક અભિયોજક મિતેશ અમીને અરજી કર્તાઓનો વિરોધ ન કર્યો અને કહ્યું કે, મૂળ જવાબદારી ઓરેવા ગ્રુપના માલિકો અને નિર્માણ કાર્ય (પુલ પર) કરનારા વ્યક્તિઓની છે. ગુજરાત હાઇ કોર્ટે ભલે મોરબી પુલ અકસ્માત બાદ ધરપકડ કરવામાં આવેલા 3 સુરક્ષા ગાર્ડોને જામીને આપી દીધા છે, પરંતુ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને અત્યારે પણ રાહત મળતી દેખાઈ રહી નથી.

મોરબી સબ જેલમાં બંધ જયસુખ પટેલે 31 જાન્યુઆરીના રોજ ગયા વર્ષે કોર્ટમાં સરેન્ડર કરી દીધું હતું. હાઇ કોર્ટના નિર્દેશોનું પાલન કરતા ઓરેવા ગ્રુપે મધ્યસ્થ વળતર આપવા માટે રાજ્યની કાયદાકીય સેવા ઓથોરિટીમાં 14.62 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. હાઇ કોર્ટે ઓથોરિટીને પીડિતોની ખરાઈ બાદ તેમને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ એક મોટી કાર્યવાહી કરતા ગુજરાત સરકારે મોરબી નગર પાલિકાને ભંગ કરી દીધી છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.