પ્રમુખ સ્વામી મહોત્સવમાંથી પાછી આવતી બસનો ફોર્ચ્યૂનર સાથે અકસ્માત, 9 લોકોના મોત

નવસારીમાં શનિવારે સવારે એક ભયાનક રોડ અકસ્માત થયો. વેસ્મા ગામ પાસે એક કાર અને બસની ટક્કરમાં 9 લોકોના મોત થઇ ગયા તો 32 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નવસારીના પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ દુર્ઘટના જિલ્લાના વેસ્મા ગામ પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ પર થઇ. તેમણે જણાવ્યું કે, અકસ્માત સમયે બસ વલસાડ જઇ રહી હતી, જ્યારે SUV કાર સામેથી આવી રહી હતી. તેમના જણાવ્યા મુજબ, બસ ચાલક સાથે-સાથે SUVમાં સવાર 9 લોકોમાંથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.

બસ ચાલકે કહ્યું- સવારે અચાનક ગાડી સામે આવી અને બૂમાબૂમ શરૂ થઈ હતી. પ્રમુખસ્વામીનગરમાંથી અમે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા.

તેમણે જણાવ્યું કે, SUVમાં મુસાફરી કરી રહેલા લોકો અંકલેશ્વરના રહેવાસી છે અને વલસાડથી પોતાના વતન અંકલેશ્વર જઇ રહ્યા હતા. ઇજાગ્રસ્તોને નજીકની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. બૂમા-બૂમો વચ્ચે ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી દેવામાં આવી. નેશનલ હાઇવે 48 પર થયેલા અકસ્માત બાદ ભીષણ ટ્રાફિક જામ થઇ ગયો. બસને ક્રેનની મદદથી હટાવી રસ્તો ખોલવામાં આવ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, ફોર્ચ્યૂનર કાર ડિવાઇડર પાર કરીને રોંગ સાઇડમાં આવી ગઇ અને સામે આવી રહેલી લક્ઝરી બસનો પણ આગલો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. એક રિપોર્ટ્સ મુજબ, અકસ્માતમાં 32 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ડૉક્ટર્સે ઇજાગ્રસ્તોમાંથી 17 લોકોની હાલત ખરાબ જોતા સારી સારવાર માટે વલસાડ રેફર કરી દીધા છે તો એકને સુરત રેફર કરવામાં આવ્યો છે. અન્ય 14 લોકોની સારવાર નવસારીમાં જ ચાલી રહી છે. અકસ્માતના કારણને લઇને અત્યારે કોઇ પણ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી.

અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રીએ અમિત શાહે ટ્વીટ કરીને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, ‘ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજવારજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.'

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારી અકસ્માત પર દુઃખ વ્યક્ત ટ્વીટ કરી કે, 'નવસારીમાં થયેલા રોડ અકસ્માતમાં લોકોના મોતથી દુઃખી છું. મારા વિચાર શોકમગ્ન પરિવારો સાથે છે. મને આશા છે કે ઇજાગ્રસ્ત જલદી જ સારા થઇ જશે. અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી -22 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.'

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.