કુમાર કાનાણી ફરી આંદોલન કરશે, આ સમસ્યા માટે 40 સોસાયટીના પ્રમુખોની બેઠક મળી

વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ 25 જાન્યુઆરી 2023ના દિવસે સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખેની ખાડીની સમસ્યા દુર કરવા માટે પત્ર લખ્યો હતો અને તે વખતે ચિમકી આપી હતી કે, હવે જો આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો પ્રજા આંદોલન કરશે અને મારે પણ નાછુટકે જોડાવવું પડશે. ધારાસભ્યએ પાલિકાને પત્ર લખ્યાને લગભગ દોઢ મહિનાનો સમય થઇ ગયો છતા હજુ ખાડીની દુર્ગંધની સમસ્યાનું નિવારણ થયું નથી ત્યારે ફરી એકવાર વરાછામાં આંદોલનની તૈયારી શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં નાના વરાછા વિસ્તારની 40 સોસાયટીઓના પ્રમુખોની બેઠક મળી હતી, જેમાં આંદોલનની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને ચિમકી આપવામાં આવી હતી કે જો 7 દિવસમાં ખાડી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ધારાસભ્ય કુમાર કાનાણીની આગેવાનીમાં આંદોલન શરૂ કરવામાં આવશે.

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને 25 જાન્યુઆરી 2023ના દિવસે એક પત્ર લખ્યો હતો. કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું હતું કે, મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા પરની અનેક સોસાયટીઓમાં ગંદકી અને મચ્છરન ઉપદ્રવ છે. આ વિસ્તારના લોકો ખાડીની સમસ્યાથી ભારે પરેશાન છે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો પ્રજા આંદોલન કરશે.

કાનાણીએ પત્રમાં એમ પણ લખ્યુ હતું કે આ સમસ્યા વિશે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત થવાના કોઇ પણ નક્કર પગલાં પાલિકા દ્રારા લેવામાં આવ્યા નથી. પાલિકાના અધિકારીઓ ફોન પર કહે છે કે, કામ થઇ જશે, પરંતુ આજ સુધી આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી.

કાનાણીએ પત્ર લખ્યાને દોઢ મહિના સુધીનો સમય થઇ ગયો, છતા પાલિકાની તંત્રએ કોઇ કામગીરી કરી નથી ત્યારે વરાછા વિસ્તારના લોકો હવે આંદોલન કરવાની મૂડમાં આવી ગયા છે. તાજેતરમાં નાના વરાછા વિસ્તારની 40 સોસાયટીના પ્રમુખો એક સાથે ભેગાં થયા હતા અને પાલિકા સામે લડત આપવાનો ગુસ્સો બધા પ્રમુખોમાં દેખાતો હતો. બેઠકમાં નક્કી થયું હતું કે હજુ પાલિકાને 7 દિવસનો સમય આપવામાં આવે. જો પાલિકા 7 દિવસમાં ખાડીની સમસ્યાનો ઉકેલ નહીં આવશે તો ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં આંદોલન શરૂ કરવામાં આવશે. બેઠકમાં આંદોલની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કુમાર કાનાણીએ હજુ થોડા દિવસો પહેલાં જ લકઝરી બસ એસોસિયેશન સામે રણશીંગુ ફુક્યુ હતું અને ટ્રાફીકની સમસ્યા દુર કરવા લકઝરી બસોનો નિયત સમયમાં પ્રવેશ બંધ કરવા માટે પોલીસને પત્ર લખ્યો હતો. એ પછી ભારે હોબાળો થયો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.