પોતાની જ પાર્ટીની સરકાર છતા MLA કુમાર કાનાણી જન આંદોલનની ચીમકી આપી, આ છે મામલો

વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખીને ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓની સમસ્યાના ઉકેલ નહીં આવશે તો જન આંદોલન કરવામાં આવશે, જેની નોંધ લેશો. ધારાસભ્ય કુમાર કાનાણી વરાછા વિસ્તારના લોકોના અનેક પ્રશ્નો માટે લડત આપતા રહેતા હોય છે.

કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકા, કાર્યપાલક ઇજનેર, ફાયલેરિયા વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે, મારા એરિયામાં ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓના લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાનાણીએ લખ્યું છે કે, વર્ષોથી આ સમસ્યા માટે અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત કરવા માટે કોઇ પણ ઝડપી કે નકકર પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્ર દ્રારા કામગીરીનો કોઇ રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.

કુમાર કાનાણીએ આગળ લખ્યું છે કે, જ્યારે અધિકારીઓને પુછવામાં આવે છે તો તેઓ  મને ફોન પર એટલું કહે છે કે, કામ ચાલું છે, થઇ જશે. પરંતુ સમસ્યા એ છે કે કામ થતા નથી. હવે લોકો આ સમસ્યાથી કંટાળી ગયા છે અને મારી પાસે રજૂઆત કરવા માટે આવે છે.

કુમાર કાનાણીએ કહ્યું કે, લોકો હવે મને જન આંદોલનની ધમકી આપી રહ્યા છે. જો ખાડીની સમસ્યાનું નિવારણ નહીં આવશે અને લોકો જન આંદોલન કરશે તો નાછુટકે મારે પણ જોડાવું પડશે. આ અગાઉ કાનાણીએ ટ્રાફીક પોલીસ લોકો પાસે દંડની રકમ ઉઘરાવતી હતી તેનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ કુમાર કાનાણીએ એક પત્રમાં એવું પણ લખ્યું હતું કે 25 વર્ષથી અમારા કામ થતા નથી.

કુમાર કાનાણીના પત્ર પરથી એ વાત સામે આવે છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છે, કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય છે, છતા તેમના કામ જો થતા નથી તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે?  જો કે કેટલાંક લોકોનું એવું પણ કહેવું છે કે, કુમાર કાનાણી પત્ર લખીને એવી ઇમેજ ઉભી કરી રહ્યા છે કે તેઓ લોકોના કામ કરી રહ્યા છે, પરંતુ ,હકીકતમાં એ બહાને તેઓ દર લખતે ચૂંટણી જીતી જાય છે. પત્ર લખવાનો તેમનો માત્ર સ્ટંટ છે. કોરોના મહામારી વખતે પણ કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હતા છતા લોકોના કામ થતા નહોતા એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.