પિતા રાજકારણમાં આવવાના વિરોધી હતા, પરંતુ હું લોકસભા 2024 લડીશ: મુમતાઝ પટેલ

કોંગ્રેસના દિવગંત નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલના દીકરી મુમતાઝે લોકસભાની ચૂંટણીને લઇને મોટી વાત કરી છે. મુમતાઝ પટેલે એક જાહેર કર્યક્રમમમાં કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. મુમતાઝે રાજકારણમાં આવવા વિશે પિતા સાથે થયેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અમદાવાદમાં FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે કહ્યું કે મારા પિતા મારા રાજકારણમાં આવવાની વિરુદ્ધ હતા, પરંતુ હું આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું. મુમતાઝે કહ્યું કે તે આ માટે તૈયારી કરી રહી છે.

પોતાના પિતાના અંતિમ દિવસોનો ઉલ્લેખ કરતા મુમતાઝે કાર્યક્રમમાં કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન મેં મારા પિતા સાથે વાતચીતમાં એકવાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ કહ્યું હતું કે મહિલા માટે ચૂંટણી જીતવી સરળ નથી. મુમતાઝે કહ્યું કે આ વાતચીતમાં અમે પિતાને ગુમાવી દીધા હતા. મુમતાઝે કહ્યુ કે જ્યાંથી મારા પિતા ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા એ બેઠક પરથી હું ચૂંટણી લડવા માંગુ છુ. મુમતાઝે લોકસભાની ભરૂચ બેઠકની વાત કરી હતી.

મુમતાઝ પટેલ જે ભરૂચ બેઠકની વાત કરી રહ્યા હતા તે વર્ષો પહેલાં કોંગ્રેસના કબ્જામાં હતી, પરંતુ છેલ્લાં 35 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. આદિવાસી નેતા મનસુખ વસાવા સતત છઠ્ઠીવાર અહીંથી સાંસદ છે.

ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ટીકિટ પર મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકિત કરી તે બેઠક પર આમ આદમી પાર્ટીની પણ નજર છે. આદિવાસી નેતા અને AAP નેતા ચૈતર વસાવાએ પણ તાજેતરમાં ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. એવામાં INDIA ગઠબંધનનો ઉમેદવાર કોણ હશે? એ મહત્ત્વનું રહેશે.

મુમતાઝ પટેલે FICCIના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે ભરૂચ 45થી વધારે વર્ષથી મારા પિતાનું ચૂંટણી ક્ષેત્ર રહ્યું છે. મારા પિતા 3 વખત લોકસભા સાંસદ રહ્યા હતા અને તેમણે 6થી વધારે વખત રાજ્યસભાથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભરૂચ અમારું ઘર છે. મારો જન્મ પણ ત્યાં જ થયો છે એટલે હું ભરૂચથી જ ચૂંટણી લડીશ.મેં મારી તૈયારી પણ શરૂ કરી દીધી છે.

મુમતાઝે કહ્યુ કે મારા પિતાએ એક ફાઉન્ડેશન સ્થાપિત કરેલું છે, તેના માધ્યમથી હું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છું. કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં ઘટાડા વિશે પુછાયેલા સવાલના જવાબમાં મુમતાઝે કહ્યું હતું કે, હું પોતે આગળ વધી રહી છું અને મને આશા છે કે વધારે મહિલાઓ આગળ આવશે.

FICCIના કાર્યક્રમમમાં ભાજપ નેતા ચારુ પ્રજ્ઞા પણ હાજર રહ્યા હતા. ‘Can Women Be A Mother And Leader’ વિષય પર ચર્ચા રાખવામાં આવી હતી. ચારુ પ્રજ્ઞાએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 350 સીટ પર જીત મેળવશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.