મારે રૂપિયા ખાવા હોય તો ઘણા રસ્તા છે, નનામા પત્રથી ગુજરાતના ભાજપ સાંસદ ગિન્નાયા

આદિવાસી વિસ્તારમાં છેલ્લી છ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઇને આવતા અને ભાજપના સિનિયર નેતા મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો છે, એ વિશે તેમણે પોતાની હૈયાવરાળ ઠાલવી છે અને કહ્યું છે હું ખાલી નાક દબાવું તો કરોડો રૂપિયાની કમાણી કરું શકું તેમ છું.મારે ભ્રષ્ટાચાર જ જો કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે, શું નગર પાલિકા કે નરેગામાં હાથ નાંખું?

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પુરી તૈયારી શરૂ કરી દીધી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 9 વર્ષની સફળતા વિશે ભાજપના નેતાઓ લોકોને સમજાવી રહ્યા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભાજપે લાભાર્થી સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

મનસુખ વસાવાએ તેમની વિરુદ્ધ ફરતા થયેલા નનામા પત્ર વિશે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર કરતા બાયલાઓને હું ખુલ્લા પાડું છે અને એવા જ લોકો આવા નનામા પત્ર લખતા હોય છે. તેમનામાં હિંમત હોય તો મારી સામે આવીને ચર્ચા કરે. સાંસદે કહ્યું, મનસુખ વસાવા ભ્રષ્ટ્રાચારના ખોટા રૂપિયાને હાથ પણ લગાવતા નથી. હું સાચો છુ એટલે મારા કાર્યકરો અને મંત્રીઓ સામે ડર્યા વગર બોલું છું.

મનસુખ વસાવાએ કહ્યું કે મારી પાસે એટલી તાકાત છે કે હું એક ઉદ્યોગપતિનું પણ નાક દબાવું તો કરોડો રૂપિયાની કમાણી કરી શકું છું, પરંતુ આ મારું કામ નથી, હું સેટીંગ કરવાવાળો નેતા નથી.

મનસુખ વસાવાને જે નનામો પત્ર મોકલવામાં આવ્યો છે, તેમાં મનસુખ વસાવાને બદલે મન દુખ દાદા એવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજપીપળા નગર પાલિકાનો વહીવટ તમારા ઘરેથી થાય છે, એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તે તમને દેખાતો નથી?

પત્રમાં લખવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાના ભાજપના કાર્યકરોને તમારી ચંચુપાત સામે વાંધો છે. ભરૂચ જિલ્લામાં તમારાથી સુકો પાપડ પણ ભંગાતો નથી. બે પાનાના પત્રમાં મનસુખ વસાવા વિશે અને તેમના જમાઇ વિશે બેફામ લખવામાં આવ્યું છે.

આ પત્ર વિશે મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આવા લેટર તો આવ્યા કરે. આવા કામ વિઘ્નસંતોષીઓ કરતા હોય છે. મારે નહોતું બોલવું પણ વર્ષોથી સહન કર્યું ને આજે બોલવું પડ્યું. બાકી ચૈતરની કોઈ હેસિયત નથી કે દેડિયાપાડા બેઠક જીતી શકે.

મનસુખ વસાવાએ આગળ કહ્યું કે મારા એક રક્ત કણમાં હિંદુત્વ વસેલું છે. મારા લોહીનું એક એક ટપકું પડે તો તેમાંથી તમને હિંદુ હિંદુ એવો શબ્દ સંભળાશે. ભૂતકાળમાં પણ હિંદુની વાત કરી છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું. મેં કાઇની સાથે સેટીંગ કર્યું નથી, પરંતુ સેટીંગ કરનારા લોકો જ જ્યારે આક્ષેપ કરવા માંડે ત્યારે મૌન રહેવું હિતાવહ નથી. મનસુખ વસાવાએ કહ્યું કે રાજકારણમાં જો મૌન રહ્યા, દબાઇ ગયા તો સમજી લેજો કે તમારું રાજકારણ પતી ગયું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.