રામકથાના નામે 275 રૂપિયાની ખુરશી 350 માં વેચી નાંખી, નવસારીમાં મોરારીબાપુ...

નવસારીમાં જાણીતા સંત કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રોતાઓ બેસીને કથા સાંભળી શકે તેના માટે ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કથાની પૂર્ણાહુતિના દિવસે આ ખુરશીનું વેચાણ કરવામાં આવ્યું અને ખુરશીની ખરીદીનો ઉત્સાહ જોઇને કોઇ ઠગ વેપારીએ બહારથી ખુરશીઓ મંગાવી અને મોંઘા ભાવે વેચી દીધી હતી. સવાલ એ નહોતો કે તેણે ભાવ વધારે લીધો, પરંતુ સવાલ એ હતો કે લોકો ખુરશી રામકથાની સાક્ષી હોવાની આસ્થામાં ખરીદી કરતા હતા, જ્યારે  બહારથી લાવીને વેચવામાં આવેલી ખુરશીઓ રામકથામાં રાખવામાં આવેલી નહોતી.

સંત કથાકાર મોરારી બાપુની રામકથાની પૂર્ણાહુતી થઇ ઘઇ છે અને મંડપમાં હજારોની સંખ્યામાં ખુરશીઓ રાખવામાં આવી હતી. હવે રામકથામાં જે લોકો ખુરશી પર બેઠા હતા તેમને એવી આસ્થા હતી કે જ્યારે આ ખુરશી રામકથાની સાક્ષી બની છે તો તેને ખરીદીને ઘરે લઇ જવી જોઇએ. મંડપ રામકથાની પૂર્ણાહુતિના દિવસે આ ખુરશીઓનું વેચાણ શરૂ કર્યું અને જોતજોતામાં ખુરશીઓ વેચાઇ ગઇ.

કોઇ ઠગ વેપારીએ આનો લાભ ઉઠાવ્યો અને બહારથી  નવી 5,000 ખુરશીઓ મંગાવી જેની કિંમત 275 રૂપિયા હતી તે 350માં લોકોને વેચી દીધી હતી. હવે લોકોને એ વાતની ખબર નહોતી કે આ ખુરશી બહારથી નવી મંગાવવામાં આવી છે. કથામાં આવેલા લોકોને એમ જ હતું કે આ એ જ ખુરશીઓ છે જે રામકથામાં હતી. સ્વાભાવિક રીતે ખુરશી સાથે આસ્થા જોડાયેલી હતી.

ઠગ વેપારી એ નવી 5,000 ખુરશીઓ લાવ્યો અને તે પણ વેચાઇ ગઇ એટલે લોભમાં આવીને બીજી 5,000 ખુરશીઓ મંગાવી તેમાં ભાંડો ફુટી ગયો. જ્યારે આ ઠગ વેપારી બીજી 5,000 ખુરશીઓ વેચવા આવ્યો તે પહેલા નવસારી ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ સુખડીયાને આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી.

ભરતભાઇ સુખડીયા, પ્રમુખ, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ

નવસારી ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ સુખડીયાને જ્યારે જાણ થઇ તો તેઓ લુન્સી કુઇ ગ્રાઇન્ડ પર પહોંચ્યા હતા જ્યાં મોરારી બાપુની કથાનું આયોજન થયું હતું. સુખડીયાએ એ વેપારીની પુછપરછ કરતા ખબર પડી હતી કે  GST વગર જ બારોબાર તેણે ખુરશીઓ વેચી નાંખી હતી અને 275 રૂપિયાની ખુરશી તેણે 350માં વેચી હતી. સુખડીયાએ વધારે પુછપરછ કરી તો ઠગ વેપારી ગેંગે ફેંફેં થઇ ગયો હતો અને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.