સુરતનો હેડ કોન્સ્ટેબલ વાંસદામાં 15 લાખની નકલી નોટ સાથે પકડાયો,કચ્છથી નોટ લાવતા

દક્ષિણ ગુજરાતના વાંસદામાં 15 લાખ રૂપિયાની બનાવટી નોટો સાથે સુરતના હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. વાડ જ જ્યારે ચીભડાં ગળે તો શું થાય? કાયદાની રખેવાની જેને જવાબદારી સોંપવામાં આવી હતી તેવા સુરતના હેડ કોન્સ્ટેબલે ખાખીને લજવી છે. પોલીસે 37,42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાંસદા પોલીસને એવી બાતમી મળી હતી કે 2 કારમાં સવાર થઇને કેટલાંક લોકો સુરતથી અનાવલ થઇને 500 રૂપિયાના દરની નકલી નોટો સાથે ભીનારથી વાંસદા આવી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે ઝાળ બિછાવી હતી અને બંને કારને અટકાવી હતી. કારમાં કુલ 5 જણા હતા જેમની પાસેથી 500ની 2994 નકલી નોટ અને 6 અસલી નોટ મળી આવી હતી. પોલીસે 15 લાખની નકલી નોટ સહિત કુલ 37.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જેમની ધરપકડ કરી તેમાંથી સુરતનો હેડ કોન્સ્ટેબલ પણ હતો અને પોલીસને તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે.

સુરતના હેડ કોન્સ્ટેબલને જ્યારે પિસ્તોલ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યુ હતું કે નોટની ડીલ વખતે જો ઝગડો થાય તો સલામતી માટે પિસ્તોલ સાથે રાખી હતી.

15 લાખ રૂપિયાની નકલી નોટ સાથે પકડાયેલા 5માંથી 3 સુરતના અને 2 બારડોલીના છે. જેમાં જેનિશ પટેલ ( બારડોલી), પ્રકાશ કામલે (બારડોલી), શ્રવણ પટેલ (બારડોલી) રાહુલ શર્મા (સુરત) અને યોગેશ યુવરાજ સામુદ્રે (સુરત)નો સમાવેશ થાય છે. આમા યોગેશ સામુદ્રે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

વાસંદા પોલીસે જ્યારે ભીનાર ચાર રસ્તા પાસે કારને અટકાવીને પુછપરછ કરી તો આરોપીઓ બનાવટી નોટ મુદ્દે કોઇ જવાબ આપી શક્યા નહોતા. પરંતુ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે મોટી રકમ મળવાની લાલચે કારસ્તાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ યોગેશને આશારામ કેસમાં એક મહિલા સાક્ષીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. યોગેશ તેની ટોળકી સાથે લોકોને શિકાર બનાવતો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે આ ટોળકી કચ્છથી નકલી નોટ અથવા ચિલ્ડ્રન બેંક નોટસ લાવતી હતી અને નોટોની થપ્પીમાં ભેળવી દીધી હતી. ફાયનલ ડીલ વખતે યોગેશ પહોંચી જતો હતો, પરંતુ પોલીસે આ વખતે તેનો દાવ ઉંધો પાડી દીધો હતો.

પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે આ ટોળકીએ કોને કોને શિકાર બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.