SMC કહે સુરતમાં રખડતા કૂતરા 33761 છે, તો મનપાએ 30000 શ્વાનોની નસબંધી કઈ રીતે કરી

વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઇની મોતથી ગુજરાતમાં રખડતા કૂતરાઓનો મામલો ગરમાયો છે. તેની વચ્ચે સુરતમાં એક ગજબનો કૌભાંડ સામે આવ્યો છે. એક RTIમાં ખુલાસો થયો છે કે, સુરત મનપામાં માત્ર 2754 રખડતા કૂતરાઓ છે, પણ મનપાએ 33,761 કૂતરાઓની નસબંધી કરવાનો દાવો કર્યો છે.

સુરત મહાનગર પાલિકાનો વિવાદોથી નાતો જૂનો છે. મોટેભાગે મનપાના વિવાદો સામે આવતા રહેતા હોય છે. આ કડીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને ખસીકરણને લઇ આરટીઆઈ દ્વારા જે ખુલાસો સામે આવ્યો છે, તેને સાંભળી સૌ કોઇ હેરાન થઇ જશે.

https://khabarchhe.com/uploads/mc_path/169839737663.jpg

આધિકારિક રીતે શહેરમાં 2754 રખડતા શ્વાનો છે. પણ મનપાએ 33,761 કૂતરાઓને પકડીને તેમની નસબંધી કરી છે. નસબંધી માટે એક કૂતરાના બિલ પર 1403 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. એટલે કે શ્વાનોના નામે લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાને આ જાણકારી આરટીઆઈથી મળી છે.

33,761 શ્વાનોનું ખસીકરણ કરાયું

હવે સવાલ એ ઊભો થાય છે કે, સુરત શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા 2754 છે તો મનપાએ કઇ રીતે 33,761 શ્વાનોની નસબંધી કરી નાખી. RTI એક્ટિવિસ્ટ દ્વારા મનપા પાસેથી માગવામાં આવેલી આરટીઆઈમાં 2018 થી 2023 સુધી 2754 જ શ્વાનો નોંધવામાં આવ્યા છે. જ્યારે નસબંધી 33,761 શ્વાનોની કરવામાં આવી છે.

આ મામલાને લઇ જ્યારે મનપાના એડિશનલ માર્કેટ સુપ્રીટેંડેન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સુરત શહેરમાં 80 થી 90 હજાર શ્વાનો હશે. ગયા વર્ષે અમે 33,761 શ્વાનોની નસબંધી માટે ટેન્ડર પાડ્યું હતું, જે પૂરુ થઇ ગયું છે. ગયા મહિનાથી નવું ટેન્ડર 33,761 શ્વાનોનું કરવામાં આવ્યું છે. જેની પ્રક્રિયા ચાલુ છે.

તે કઇ રીતે થયું, અમને નથી ખબર

રોજ અમારી ટીમ વોર્ડ પ્રમાણે નીકળે છે અને શ્વાનોને પકડી તેમની નસબંધી કરે છે. આધિકારિક રીતે 2754 કૂતરાઓના હોવા અને 33,761 શ્વાનોની નસબંધી કરવાના ખુલાસાને લઇ ડૉક્ટર રાજેશ ઘેલાનીએ કહ્યું કે, તેઓ સેંસર વિભાગમાં કામ કરે છે. આ કઇ રીતે થયું તેની જાણ નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.