સુરત: 118 કરોડના ખર્ચે હજુ 40 દિવસ પહેલા ખુલ્લા મુકાયેલા પુલ પર ગાબડા પડી ગયા

હજુ તો 40 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલા અને 118 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો સુરતનો વેડ- વરિયાવ પુલ પર વરસાદની પહેલી ઇનિંગમાં જ ગાબડાં પડી ગયા હતા. જાગૃત નાગરિકો એ ગાબડાં વિશે જાણકારી આપતા સદનસીબે પુલ પર મોટી દુર્ઘટના થતી અટકી ગઇ છે. આ બ્રીજ પરના ગાબડાંનો વીડિયો વાયરલ થતા સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ગંભીર બેદરકારીને નજર અંદાજ કરી શકાય તેમ નથી. પ્રજાના પૈસે કરોડા રૂપિયાના ખર્ચે જ્યારે બ્રીજ બનતા હોય અને સલામતી ન હોય તે તો કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.

સુરત મહાનગર પાલિકા દ્રારા વેડ અને વરિયાવ વચ્ચે પુલ બનાવવામાં આવ્યો છે.પુલની કુલ લંબાઈ 1444.50 મીટર છે. આ 4 લેનનો પુલ છે જે 32 મહિનાની સમય મર્યાદામાં તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર વિજય મિસ્ત્રી કન્સ્ટ્રક્શન પ્રા.લિ દ્રારા પુલ બનાવવામાં આવ્યો હતો. હજુ 18 મેના દિવસે આ પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 40 દિવસમાં જ બ્રિજનો વરિયાવ બાજુ ઉતરવાનો એપ્રોચમાં 3 ફૂટ સુધીનો રસ્તો બેસી જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે લોકોમાં પણ તંત્રની આવી કામગીરીને લઈને રોષ જોવા મળ્યો છે. મહત્ત્વનું છે કે, સુરતમાં છેલ્લા એક મહિનામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.

સુરત આખા દેશમાં બ્રિજ સિટી તરીકે જાણીતું છે, પુરંતુ પુલ બનાવવામાં ગોબાચારીના અનેક કિસ્સાઓ સામે આવવા છતા પાલિકાના તંત્રનું કે ભાજપના નેતાઓના પેટનું પાણી હાલતું નથી. અનેક બ્રીજમાં તિરાડ, ભાગ તુટી જવો એ સામાન્ય બાબત બની ગઇ હોય તેવું લાગે છે. સદનસીબે વેડ વરિયાવ પુલ પર ગાબડાં પડ્યા ત્યારે કોઇ જાનહાની થઇ નથી.

વેડ વરિયાવ પુલની ઘટનાનો વીડિયો વાયરલ થતા પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી પુલ પર પહોંચ્યા હતા અને તેમણે ઘટનાની જાણકારી મેળવી હતી. ભંડેરીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ શાસકો ભ્રષ્ટાચારમાંથી ઉંચા આવતા નથી. પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ લઇને માત્ર ભ્રષ્ટાચાર જ કરવામાં આવી રહ્યો છે. 118 કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ ખર્ચ્યા પછી પણ જો પુલની આવી સ્થિતિ હોય તો તે દુખદ બાબત છે.

જો કે થોડા દિવસો સુધી ઉહાપોહ થશે. રાજકારણ  ચાલશે, પછી ભધું ઠેરનું ઠેક થઇ જશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.