ધીરેન્દ્ર શાસ્ત્રી જો પેકેટના હીરાની સંખ્યા બતાવી દે તો.., હીરાના વેપારીનો પડકાર

ગુજરાતની મુલાકાતે આવી રહેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદ શરૂ થયો છે તેમાં હવે સુરતના હીરાના વેપારી પણ ઝંપલાવી દીધું છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસોમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજવાના છે. તેમની મુલાકાતના કારણે દિવ્ય દરબારનો વિરોધ જોવા મળી રહ્યો છે. આ જોઈને સુરતના હીરાના વેપારીએ પણ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ અને રાજકોટમાં પણ બાગેશ્વર બાબાને પડકાર ફેંકવામાં આવ્યા હતા.

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારથી વિવાદ શરૂ થયો છે. રાજકોટ અને અમદાવાદ પછી સુરતના હીરાના વેપારી જનક બાબરીયાએ પડકાર ફેંકતા કહ્યું છે કે, જો મને બાબાના દિવ્ય દરબારમાં જવાનું આમંત્રણ મળશે તો હું એક પોલિશ્ડ ડાયમંડ ભરેલું પેકેટ લઇને જઇશ. જો બાબા મને બતાવશે કે મારી પાસેના પેકેટમાં કેટલા હીરા છે તો એ પોલીશ્ડ ડાયમંડનું પેકેટ હું તેમના ચરણોમાં સમર્પિત કરી દઇશ અને તેમની દૈવી શક્તિનો સ્વીકાર કરી લઇશ.

જનક બાબરિયાએ કહ્યું કે 22 મેથી તેઓ ગુજરાતાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવા જઇ રહ્યા છે. બાગેશ્વર સરકારથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં 26 અને 27 મેના દિવસે થવાનો છે. બાબરિયાએ કહ્યું કે આ દરબારમાં ચમત્કાર, અંધવિશ્વાસ અને તેમની દૈવી શક્તિ વિશે કહેવામાં આવે છે, જેનો તેઓ વિરોધ કરશે.

હીરાના વેપારી જનક બાબરિયાએ કહ્યું કે બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં અનેક લોકો જતા હોવાથી સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ અમે સરકારને પત્ર લખીશું. બાબરિયાએ કહ્યું કે, અમે દરેક અમદાવાદ, સુરત, રાજકોટ દરેક જિલ્લાના કલેકટરને દિવ્ય દરબાર રદ કરવા માટે આવેદન પત્ર આપીશું.

બાબરિયાએ કહ્યુ કે ગુજરાતના લોકોએ આવા અંધવિશ્વાસ અને દૈવી ચમત્કારોનો ક્યારેય વિશ્વાસ કર્યો નથી અને કરશે પણ નહી. આવા તો અનેક બાબા ગુજરાતાં આવ્યા છે. પહેલા ધબુડી માના નામની ચર્ચા થતી હતી, પરંતુ ગુજરાતની જનતાએ નિંદા કરી હતી. જનક બાબરિયાએ કહ્યું કે ગુજરાતના લોકો જલારામ અને બાપા સીતારમ જેવા સંતોને આદર્શ સંત માને છે, કારણકે તેમને ક્યારેય દિવ્ય દરબાર કે ચમત્કારની વાત કરતા નહોતા.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.