3 ભારતીય માટે T20 વર્લ્ડ કપ જીતવાની છેલ્લી તક! જો હમણા ન જીત્યા તો ફરી...

ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપની ભાગ્યે જ કોઈ એવી આવૃત્તિ બની છે, જેમાં ભારતીય ટીમને જીતની દાવેદાર માનવામાં ન આવી હોય. આ સમયગાળા દરમિયાન ભારતે 2007માં વર્લ્ડ કપ પણ જીત્યો હતો. પણ હવે આ વાત જૂની થઈ ગઈ છે. વાસ્તવિકતા એ છે કે, રોહિત શર્મા સિવાય ભારતીય ટીમમાં એક પણ ખેલાડી એવો નથી જે T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ રહ્યો હોય. વર્તમાન ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જે 35 વર્ષના થઈ ગયા છે અને જો તેઓ આ વખતે ટાઈટલ નહીં જીતે તો તેમની કારકિર્દી ટ્રોફી વિના ખતમ થઈ શકે છે.

વિરાટ કોહલીને તેના ફેન્સ કિંગ કોહલી કહે છે. T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન (1141)થી લઈને આવા ઘણા રેકોર્ડ છે, જેમાં વિરાટ ટોપ પર છે. આ 35 વર્ષીય ભારતીય સ્ટારના માથા પર T20 વર્લ્ડ કપનો તાજ નથી. વર્ષ 2024 પછી આગામી T20 વર્લ્ડ કપ 2026માં યોજાવાનો છે. ત્યાં સુધીમાં વિરાટ 37 વર્ષનો થઈ ગયો હશે. T20 ક્રિકેટમાં જે પ્રકારની ફિટનેસની જરૂર હોય છે, યુવાઓને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂરા વિશ્વાસ સાથે કહી શકાય નહીં કે, વિરાટ કોહલીને 2026ની ભારતીય T20 ટીમમાં તક મળશે. કોહલી 2011માં ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.

વિરાટ કોહલીની જેમ રવિન્દ્ર જાડેજા પણ 35 વર્ષનો થઈ ગયો છે. વિરાટે હજુ પણ ODI વર્લ્ડ કપ જીત્યો છે, પરંતુ જાડેજાના નામે કોઈપણ ફોર્મેટમાં વર્લ્ડ કપ નથી. જાડેજાની ફિટનેસ શાનદાર રહી છે. પરંતુ એ વાત પણ સાચી છે કે તે ઈજાના કારણે ઘણી વખત ટીમની બહાર થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં જાડેજા માટે પણ T-20 વર્લ્ડ કપ જીતવાની આ છેલ્લી તક માનવામાં આવી રહી છે.

કોહલી અને જાડેજા કરતા યુઝવેન્દ્ર ચહલની સ્થિતિ વધુ રસપ્રદ છે. કોહલી-જાડેજા ભલે ક્યારેય T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ ન બન્યા હોય, પરંતુ ઓછામાં ઓછા બંને આ ટૂર્નામેન્ટમાં અગાઉ ઘણી વખત રમી ચૂક્યા છે. બીજી તરફ, યુઝવેન્દ્ર 2024માં તેનો પહેલો T20 વર્લ્ડ કપ રમશે અને આ તેનો છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે. યુજી 33 વર્ષના છે. ભારતીય ટીમમાં સ્પિનરો વચ્ચે સખત સ્પર્ધા છે. યુજીએ 2022માં આ વાત ખૂબ નજીકથી અનુભવી હતી, જ્યારે T20 વર્લ્ડ કપ ટીમના સભ્ય હોવા છતાં તેને મેચ રમવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં તેઓ 2024માં વર્લ્ડ કપ રમવાની અને જીતવાની કોઈ તક ગુમાવવાના નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.