
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ફરી એકવાર ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આ વખતે આ મામલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે સંબંધિત છે. વાસ્તવમાં એક ડ્રાઈવરે IPL સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કર્યો હતો.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવરે સિરાજને લાલચ આપી હતી કે, જો તે તેને ટીમની અંદરની બાબતો જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે. પરંતુ સિરાજે સમગ્ર મામલાની જાણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ને કરી છે.
આ માહિતી પછી BCCIનું આ યુનિટ એક્શનમાં આવ્યું અને ઝડપી તપાસ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી. BCCIના એક અધિકારીએ મીડિયાના સૂત્રોને જણાવ્યું છે કે, સિરાજનો સંપર્ક કરનાર વ્યક્તિ કોઈ બુકી નથી, પરંતુ હૈદરાબાદનો એક ડ્રાઈવર હતો જે મેચ પર સટ્ટાબાજીનો વ્યસની હતો.
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'સિરાજનો સંપર્ક કરનાર કોઈ બુકી નહોતો. તે હૈદરાબાદનો ડ્રાઈવર છે, જે મેચ પર સટ્ટો લગાવે છે. તેણે સટ્ટાબાજીમાં ઘણા પૈસા ગુમાવ્યા હતા. આ કારણોસર તેણે ટીમની અંદરની માહિતી માટે સિરાજનો સંપર્ક કર્યો હતો. સિરાજે તરત જ આ અંગે જાણ કરી.'
અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, 'સિરાજે માહિતી આપ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને કાયદા અમલીકરણ અધિકારીઓએ વ્યક્તિની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીની માહિતીની રાહ જોવાઈ રહી છે.'
અહીં તમને જણાવી દઈએ કે, IPLમાં ફિક્સિંગના મામલામાં પૂર્વ ફાસ્ટ બોલર S શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયની સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ગુરુનાથ મયપ્પનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી BCCIની ભ્રષ્ટાચાર વિરોધી ટીમ ખૂબ જ સતર્ક છે.
India pacer Mohammed Siraj has reported to BCCI's Anti-Corruption Unit (ACU) about a man who had approached him for gaining inside information during the ODI series between India-Australia in March this year. He immediately reported the matter to Anti-Corruption Unit officials of…
— ANI (@ANI) April 19, 2023
IPLની દરેક ટીમ સાથે એક ACU ઓફિસર હોય છે, જે ખેલાડીઓની સાથે હોટલમાં રહે છે. તે દરેક ગતિવિધિ પર નજર રાખે છે. દરેક ખેલાડીને શું કરવું અને શું ન કરવું તે અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. જો કોઈ ખેલાડી માહિતી ન આપી શકે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને 2021માં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે તેની IPL ગત સિઝન દરમિયાન ભ્રષ્ટાચારની જાણ કરી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp