આકાશ ચોપરાના મતે ચેતેશ્વર પૂજારાને આ કારણે ટેસ્ટમાંથી કરવામાં આવ્યો ડ્રોપ

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યા બાદ ખૂબ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરેક સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવી રહ્યું છે કે આખરે ચેતેશ્વર પૂજારાને કેમ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો. તો પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે, સિલેક્ટર્સે હવે ભવિષ્ય તરફ જોવાનું શરૂ કરી દીધું છે અને આ કારણે ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કરીને યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં બે નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને એક સીનિયર ખેલાડીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને ટીમમાં રાખવામાં આવ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં તેને ઉપકેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તો સૂર્યકુમાર યાદવને બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં કુલ 16 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે અને મોટી વાત એ છે કે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને બહાર કરી દેવામાં આવ્યા છે.

ટીમમાં અનકેપ્ડ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને સામેલ કરવામાં આવ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ અપર વાતચીત કરવા દરમિયાન આકાશ ચોપરાએ ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી ડ્રોપ કરવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચેતેશ્વર પૂજારા ટીમમાં નથી. જો કે, એવું નથી જે હવે તે ક્યારેય વાપસી નહીં કરી શકે. કેમ કે રહાણેએ આ પ્રકારે વાપસી કરી હતી. ચેતેશ્વર પૂજારા પણ વચ્ચે ડ્રોપ થયો હતો, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરીને વાપસી કરી.

તેમણે આગળ કહ્યું કે, ટેસ્ટ મેચોમાં તેનું (ચેતેશ્વર પૂજારાનું) પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે, પરંતુ હવે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલની શરૂઆત થઈ રહી છે અને તે જુવાન તો થવાનો નથી. કદાચ આ જ કારણ છે કે ભારતીય ટીમ હવે આગળ દિશામાં જવા માગે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.