આકાશ ચોપરાના મતે T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી આ ખેલાડી કરશે

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આકાશ ચોપરાએ T20માં ભારતીય ટીમની કેપ્ટન્સીને લઈને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, T20 ફોર્મેટમાં જ્યારે સિલેક્ટર્સ સીનિયર ખેલાડીઓ સાથે આગળ વધી ચૂક્યા છે અને એમ લાગે છે કે હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી કરશે. હાર્દિક પંડ્યાને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 5 મેચોની T20 સીરિઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો સૂર્યકુમાર યાદવને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ સીરિઝ માટે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ શમી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યા આગળ પણ T20 ફોર્મેટમાં કેપ્ટન્સી કરતો નજરે પડી શકે છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા આકાશ ચોપરાએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપ બાદ કેપ્ટન્સી સોંપવામાં આવી હતી અને એમ લાગે છે કે હવે તે જ કેપ્ટન રહેવાનો છે. આગામી સમયમાં હાર્દિક પંડ્યા જ T20માં ભારતીય ટીમનો કેપ્ટન હશે અને તેનો અર્થ એ થયો કે તે આગામી T20 વર્લ્ડ કપમાં પણ ટીમની આગેવાની કરશે.

નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમમાં જગ્યા ન મળવાને લઈને આકાશ ચોપરાએ કહ્યું કે, ‘મને લાગે છે કે ટીમ પહેલા જ અલગ દિશામાં આગળ વધી ચૂકી હતી અને અત્યારે પણ એવું જ છે. કોઈ બદલાવ થયો નથી. કોઈ પણ સીનિયર ખેલાડીને સિલેક્ટ કરવામાં આવ્યો નથી. કે.એલ. રાહુલ ઉપલબ્ધ નથી, પરંતુ વર્લ્ડ કપ બાદ જ રોહિત શર્મા અને વિરાટ કોહલીને રમાડવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની સીરિઝ માટે ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે. ઘણા ખેલાડી એવા છે જેમને પહેલી વખત ભારતીય ટીમમાં જગ્યા મળી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

ઇશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ મેચ: 12-16 જુલાઇ, ડોમિનિકા.

બીજી ટેસ્ટ મેચ: 20-24 જુલાઇ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી વન-ડે 27 જુલાઇ, બ્રિજટાઉન

બીજી વન-ડે: 29 જુલાઇ, બ્રિજટાઉન

ત્રીજી વન-ડે: 1 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

પહેલી T20: 3 ઑગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન.

બીજી T20: 6 ઑગસ્ટ, ગુયાના.

ત્રીજી T20: 8 ઑગસ્ટ, ગુયાના.

ચોથી T20: 12 ઑગસ્ટ, ફ્લોરિડા.

પાંચમી T20:13 ઑગસ્ટ, ફ્લોરિડા.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.