રદ્દ થઈ શકે છે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે સીરિઝ, જાણો શું છે કારણ

ભારત અને અફઘાનિસ્તાનની સીરિઝ પર જોખમના વાદળ મંડરાઈ રહ્યા છે. તેની પાછળ કારણ ભારતીય તેમનું શેડ્યૂલ છે. ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સાથે 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે, પરતું શું આ સીરિઝનું આયોજન થઈ શકશે? ભારતીય ટીમ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ઓવલમાં રમાશે. તો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ વેસ્ટ ઈન્ડીઝ સાથે સીરિઝ રમશે.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે સીરિઝની શરૂઆત 12 જુલાઈથી શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે સીરિઝ 13 ઓગસ્ટ સુધી રમાવાની છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વન-ડે મેચો સિવાય 2 ટેસ્ટ અને 5 T20 મેચોની સીરિઝ રમાશે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ દરમિયાન 20 જૂનથી 30 જૂન સુધી મેચ નહીં રમે. પછી બંને ટીમો વચ્ચે મેચ 7 જુલાઈથી રમાતી, પરંતુ હવે એમ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના પર વિચાર કરી રહ્યું નથી.

એ સિવાય એમ માનવામાં આવી રહ્યું છે કે, મેચોની બ્રોડકાસ્ટિંગ પર પણ પેંચ ફસાઈ શકે છે. સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે BCCIનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થવાનો છે, પરંતુ અત્યાર સુધી નવી ડીલ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા નથી. તો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)ના અધ્યક્ષ મીરવાઇઝ અશરફને IPL ફાઇનલ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જો કે, IPLની ફાઇનલ બાદ બંને દેશોના બોર્ડના અધિકારીઓ વચ્ચે મીટિંગ થશે, જેમાં ભારત અને અફઘાનિસ્તાન સીરિઝ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે IPLની ફાઇનલ જ્યારે અમદાવાદમાં થવાની છે ત્યારે બાંગ્લાદેશ શ્રીલંકા અને અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષોને મેચ જોવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ એશિયા કપને લઈને એક મીટિંગ થઈ શકે છે. તેમાં મેચોના હાઇબ્રીડ મોડલને લઈને ચર્ચા થઈ શકે છે, પરંતુ આ મીટિંગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ નહીં હોય. ખેર હવે સમય જ બતાવશે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સીરિઝ થઈ શકે છે કે નહીં.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.