અહમદ શહજાદનો કોહલી લઈને મોટો ખુલાસો, બોલ્યો- જ્યારે મને જરૂરિયાત પડી તો..

વિરાટ કોહલીના ફેન માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં છે. પાકિસ્તાની ક્રિકેટર પણ વિરાટ કોહલીના દીવાના છે. એક પાકિસ્તાની બેટ્સમેને વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, મને જ્યારે પણ જરૂરિયાત પડતી હતી, વિરાટ કોહલી હંમેશાં મારી મદદ માટે ઊભો રહેતો હતો. વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક છે. તેણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં ઘણું બાદ નામ કમાયું છે. પાકિસ્તાની ક્રિકેટર પણ વિરાટ કોહલીના દીવાના છે.

વિરાટ કોહલી પોતાની બેટિંગથી જ નહીં, પરંતુ પોતાના વ્યવહારથી પણ સારો માનવામાં આવે છે. જો કે, ક્યારેક ક્યારેક તે આક્રમક રૂપ પણ લઈ લે છે. પાકિસ્તાનના એક ક્રિકેટર અહમદ શહજાદે વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, મને જ્યારે પણ જરૂરિયાત પડી તો વિરાટ કોહલીએ હંમેશાં મારી મદદ કરી છે. વિરાટ કોહલીની બેટ ફરીથી બોલશે. તેનું હજુ સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. હું અને વિરાટ કોહલી એક-બીજાનું ખૂબ સન્માન કરીએ છીએ. મને જ્યારે પણ જરૂરિયાત હોય છે તો હું વિરાટ કોહલીને કહેતો હતો અને તે હંમેશાં મારી મદદ કરતો હતો.

તેણે આગળ કહ્યું કે, તેણે પોતાની અંદર ખૂબ ઝડપથી બદલાવ કર્યો છે. વિરાટ કોહલી જ્યારે અંડર-19 રમતો હતો, થોડો હેલ્ધી રહેતો હતો, પરંતુ જ પ્રકારે તેણે પોતાને ચેન્જ કર્યો અને ભારતીય ટીમને એટલી ઊંચાઈઓ પર લઈ ગયો છે. મેં આવા ખેલાડીને અત્યાર સુધી જોયો નથી. એટલી જલદી પોતાની જાતને સ્થાપિત કરી શકે. અહમદ શહજાદના કરિયરની વાત કરીએ તો આ પાકિસ્તાની ઓપનરે વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

અત્યાર સુધી તેણે 13 ટેસ્ટ, 81 વન-ડે અને 59 T20 રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં અહમદ શહજાદના નામ લગભગ 41ની એવરેજથી 982 રન છે. વન-ડે ઇન્ટરનેશનલમાં 33ની એવરેજથી 2605 અને T20માં લગભગ 26ની એવરેજથી 1471 રન બનાવ્યા છે. અહમદ શહજાદને એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખવામાં આવે છે. જો કે, અહમદ શહજાદે પાકિસ્તાન માટે અંતિમ મેચ વર્ષ 2019માં રમી હતી. તેને ફરી કોઈ અવસર મળ્યો નથી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.