સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યો નવો કેપ્ટન, આ ખેલાડી સંભાળશે ટીમની કેપ્ટન્સી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માટે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકન સ્ટાર બેટ્સમેન એડન માર્કરમને IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી સીઝન માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તે 31 માર્ચથી શરૂ થનારી IPLની 16મી સીઝનમાં ટીમનું નેતૃત્વ કરતો નજરે પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વીટ કરીને પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા T20 (SA20)ની પહેલી સીઝનમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ એડન માર્કરમના નેતૃત્વમાં ચેમ્પિયન બની છે.

વર્ષ 2016માં IPLની ટ્રોફી જીતનારી સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 16 માટે મિની ઓક્શન અગાઉ નિયમિત કેપ્ટન કેન વિલિયમસ્નને રીલિઝ કરી દીધો હતો, ત્યારબાદ મયંક અગ્રવાલ, એડન માર્કરમ અને ભુવનેશ્વર કુમાર કેપ્ટન્સીના દાવેદારના રૂપમાં સામે આવ્યા હતા. જો કે, ફ્રેન્ચાઇઝીએ એડન માર્કરમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ટીમની કેપ્ટન્સી સંભાળવાની જવાબદારી સોંપી છે. એડન માર્કરમે સનરાઈઝર્સની સિસ્ટર ફ્રેન્ચાઇઝી ઈસ્ટર્ન કેપને પહેલી જ સીઝનમાં ચેમ્પિયન બનાવીને મોટું કરનામું કરી દેખાડ્યું છે.

SA20માં એડન માર્કરમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને પણ દેખાડ્યું. તેણે ટીમ માટે 336 રન બનાવ્યા અને 11 વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન તેણે સેમીફાઇનલમાં એક સદી પણ લગાવી. એડન માર્કરમના IPL કરિયરની વાત કરીએ તો તેણે IPLમાં 2 સીઝન રમી છે. IPL 2021માં તેણે 6 મેચમાં 146 રન બનાવ્યા. IPL 2022માં તેણે સારું પ્રદર્શન કર્યું અને 14 મેચમાં 381 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 3 અડધી સદી પણ બનાવી. IPLમાં તે 20 મેચોમાં 134ની સ્ટ્રાઈક રેટથી 527 રન બનાવી ચૂક્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ:

હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, એડન માર્કરમ (કેપ્ટન), ગલેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, અનમોલપ્રીત સિંહ, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, મયંક ડાંગર, વિવારાંત શર્મા, અબ્દુલ સમદ, માર્કો યાનસેન, અભિષેક શર્મા, વૉશિંગટન સુંદર, ઉમરાન માલિક, અઝલહક ફારુકી, કાર્તિક ત્યાગી, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, અકીલ હુસેન, આદિલ રાશિદ, મયંક માર્કંડે.

સનરાઇઝર્સ હૈદરાબાદનું આખું શેડ્યૂલ:

2 એપ્રિલ-સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ RR, હૈદરાબાદ (સાંજે 3:30 વાગ્યે)

7 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ LSG, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

9 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ PKBS, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

14 એપ્રિલ- સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ KKR, કોલકાતા (સાંજે 7:30 વાગ્યે)

18 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ MI, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

21 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ CSK, ચેન્નાઈ (સાંજે 7:30 વાગ્યે)

24 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ DC, હૈદરાબાદ (સાંજે 7:30 વાગ્યે)

29 એપ્રિલ સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ DC, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)

4 મે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ KKR, (સાંજે 7:30:30 વાગ્યે)

7 મે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ RR, જયપુર (સાંજે 7:30:30 વાગ્યે)

13 મે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ LSG, હૈદરાબાદ (બપોરે 3:30 વાગ્યે)

 

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.