ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા રહાણેનો છલકાયો દર્દ, બોલ્યો-કાશ હું પહેલા...

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે આ સમયે રણજી ટ્રોફીમાં મુંબઇ તરફથી રમતા જોરદાર બેટિંગ કરતો નજરે પડી રહ્યો છે. અજિંક્ય રહાણેએ હાલમાં જ પોતાના ઉતાર-ચડાવ ભરેલા કરિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેણે છેલ્લી વખત ભારત તરફથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી હતી, જેમાં તેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, ત્યારબાદ તેને ફરી રમવાનો ચાંસ મળ્યો નથી. આ અનુસંધાને અજિંક્ય રહાણેએ એ ઇમોશનલ નિવેદન આપ્યું છે. તેણે પોતાની વાપસીને લઇને શું કહ્યું ચાલો આ આર્ટિકલમાં જાણીએ.

ભારતીય ટીમાં છેલ્લા કેટલાક સમયથી દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણે પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હાલમાં તે રણજી ટ્રોફી 2023માં મુંબઇ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. અજિંક્ય રહાણેએ દિલ્હી વિરુદ્ધ થનારી મેચ અગાઉ એક ન્યૂઝ એજન્સી સાથ વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે, હું જૂના સમય બાબતે વિચારી રહ્યો હતો, જ્યારે હું પહેલી વખત રણજી ટ્રોફીમાં આવ્યો હતો (વર્ષ 2007માં). હું કઇ રીતે રમતો હતો, મારા વિચારવાની પ્રક્રિયા શું હતું. હું ફરી યોજના બનાવી રહ્યો છું અને હું તે અજિંક્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે હું પોતાના શરૂઆતી દિવસોમાં રહેતો હતો.

તેણે આગળ કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે નાના બદલાવથી તમારે એક ખેલાડીના રૂપમાં સતત વિકાસ કરવાનું હોય છે અને પોતાની રણનીતિઓ પર કામ કરવું અને સુધાર ચાલુ રાખવાનો હોય છે. કોઇ મોટો બદલાવ નહીં, પરંતુ નાના બદલાવ, કૌશલ્યનાં હિસાબે હવે મને મુંબઇ માટે વિચારવું પડશે અને તેના માટે સારું કરવું પડશે. મારા મનમાં પૂરી રીતે એ જ છે. જો વાત કરીએ અજિંક્ય રહાણેના ક્રિકેટ કરિયરની તો તેણે 82 ટેસ્ટ મેચોમાં 4,931 રન બનાવ્યા છે જેમાં તેણે 12 સદી બનાવી છે. તો વન-ડે ક્રિકેટમાં તેણે 90 મેચોમાં 2,962 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં 20 મેચ રમી છે જેમાં તેણે 375 રન બનાવ્યા છે.

ભારતીય ટીમથી બહાર થયા બાદ રહાણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પોતાની વાપસીને લઇને પોતાની બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં તેણે મુંબઇ તરફથી રમતા હૈદરાબાદ વિરૃદ્ધ વિસ્ફોટક અંદાજમાં બેવડી સદી ઠોકી હતી. ત્યારબાદ પણ તેણે પોતાની શાનદાર રમત યથાવત રાખતા 191 રનોની ઇનિંગ રમી હતી. જો કે આ વખત તે બીજી બેવડી સદી માટે માત્ર 9 રનથી ચૂકી ગયો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.