મોદી સરકાર ઈચ્છે તો પાક. આવી શકે છે ટીમ ઈન્ડિયા, BCCI પણ કંઇ નહીં કરી શકશેઃઅખ્તર

2023 વનડે વર્લ્ડ કપ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ભારત પોતાની ICC ટ્રોફીનો દુષ્કાળ સમાપ્ત કરવાની આશા સાથે ટૂર્નામેન્ટની મેજબાની કરવા માટે તૈયાર છે. જોકે, ઘણી અન્ય ટીમો પણ છે જે ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર છે. તેમાંથી એક છે બાબર આઝમના નેતૃત્વવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને લાગે છે કે, વનડે વર્લ્ડ કપમાં ભારત વર્સીસ પાકિસ્તાન ફાઇનલ થઈ શકે છે. જો એવુ થાય છે, તો અખ્તર ઈચ્છે છે કે પાકિસ્તાન 2011નો બદલો લે.

2011 વનડે વર્લ્ડ કપ પણ ભારતમાં રમવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાની ટીમને હરાવી હતી અને ટાઇટલ પર કબ્જો જમાવ્યો હતો. જોકે, તે પહેલા સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ખરાબ રીતે હાર આપી હતી. આ અંગે અખ્તર ઇચ્છે છે કે, બાબર આઝમ મુંબઈ અથવા અમદાવાદ જ્યાં પણ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાય ત્યાં ભારતને હરાવીને ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવે. શોએબ અખ્તરે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે- હું ભારત વર્સીસ પાકિસ્તાન ફાઇનલ રમાઇ એવુ ઇચ્છુ છું, ભલે પછી તે મુંબઈમાં રમાવાની હોય કે પછી અમદાવાદમાં. તેણે કહ્યું- 2011નો બદલો લેવાનો છે આ વખતે.

શોએબ અખ્તરને એશિયા કપ વિવાદ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું હતું કે- PCB અને BCCI સામસામે છે. BCCI એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર નથી, તેમજ PCB પોતાના ઘરમાં જ સમગ્ર એશિયા કપની મેજબાની કરવા માંગે છે. શોએબ અખ્તરને લાગે છે કે, આ મામલો એટલો ધ્યાન આપવા યોગ્ય નથી કારણ કે, બંને દેશોની સરકારો જ નક્કી કરી શકે છે કે શું થશે.

શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે- આ બકવાસ વાતો છે. ના તો BCCI અને ના PCB આ મામલામાં કંઈ કરી શકે છે. BCCI ભારત સરકારને પૂછ્યા વિના કંઈ ના કરી શકે. આપણું બોર્ડ પણ આપણી સરકારની સલાહ લીધા વિના કંઈ કરી ના શકે. જ્યારે ભારત-પાકિસ્તાન મેચની વાત આવે છે તો દરેક વ્યક્તિ પોતાના અભિપ્રાય આપે છે. મારો બંને પક્ષોના તમામ પૂર્વ ખેલાડીઓને અનુરોધ છે, કૃપા કરીને અનાવશ્યક ટિપ્પણી કરવાથી દૂર રહો. તેણે આગળ કહ્યું- જો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર લીલી ઝંડી આપશે, તો BCCI કોણ છે જે એ નક્કી કરે કે તે પાકિસ્તાન જશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.