એન્જેલો મૈથ્યૂઝના ભાઈએ શાકિબને કહ્યું- જો શ્રીલંકા આવ્યો તો પથ્થર...

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી મેચમાં ખૂબ ડ્રામા જોવા મળ્યો. શ્રીલંકાના ખેલાડી એન્જેલો મૈથ્યૂઝને ટાઇમ આઉટ થવું પડ્યું જે આ મેચનો ચર્ચાનો વિષય રહ્યો. આ મેચ બાદ બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ટ્રોલ થવા લાગ્યો. કારણ કે તેણે ખેલ ભાવના ન દેખાડી. હવે એન્જેલોના ભાઈએ કહ્યું કે, જો શાકિબ શ્રીલંકા આવશે તો તેનું સ્વાગત પથ્થરથી થશે.

એન્જેલો મૈથ્યૂઝના ભાઈ ટ્રેવિન મૈથ્યૂઝે bdcricktime.com સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છે. બાંગ્લાદેશી કેપ્ટનમાં ખેલ ભાવના નામની કોઇ વસ્તુ નથી. આટલી સારી રમતમાં તે જરા પણ દયાળુ ભાવના દેખાડતા નથી. અમને તેના અને બાંગ્લાદેશની ટીમ દ્વારા આ પ્રકારના વર્તનની આશા નહોતી. શાકિબ અલ હસનનું શ્રીલંકામાં સ્વાગત કરવામાં આવશે નહીં. જો તે અહીં કોઇ આંતરરાષ્ટ્રીય મેચ કે પછી લંકા પ્રીમિયર લીગ રમવા આવે છે તો તેના પર પથ્થર ફેંકવામાં આવશે કે પછી ફેન્સ તેની સાથે ખરાબ વ્યવહાર કરશે.

એન્જેલો મૈથ્યૂઝનો ભાઈ ટ્રેવિન એક શ્રીલંકન ક્રિકેટર હતો. તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને લેફ્ટ હેન્ડ મીડિયમ પેસર બોલર છે. જે કોલ્ટ્સ ક્રિકેટ ક્લબ માટે રમતો હતો. મૈથ્યૂઝે 1997-98 સીઝન દરમિયાન પાનાદુરા સ્પોર્ટ્સ ક્લબ સામે ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

વિવાદ શા માટે થયો

બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની મેચમાં એમ્પાયર્સનું કહેવું હતું કે, મેચ દરમિયાન એન્જેલો મેદાન પર મોડેથી આવ્યો હતો. માટે તેને ટાઇમ આઉટ આપવામાં આવ્યો. જો શાકિબ નોટ આઉટની અપીલ કરી દેતે તો એન્જેલો આઉટ ગણાતે નહીં. ICC નિયમ અનુસાર વિકેટ પડ્યા કે બેટ્સમેનના રિટાયર થયા પછી આવનારા બેટ્સમેને 3 મિનિટની અંદર સ્ટ્રાઈક લેવાની રહે છે. પણ ICC વર્લ્ડ કપ 2023માં બેટ્સમેન માટે સમય સીમા ઘટાડીને 3 મિનિટના સ્થાને 2 મિનિટ કરી દેવામાં આવી છે.

એન્જેલોના હેલમેટનો બેલ્ટ તૂટી જવાને લીધે તેણે ક્રીઝ પર આવ્યા પછી નવું હેલમેટ માટે ઈશારો કર્યો, તે સમયે બાંગ્લાદેશના કેપ્ટને ટાઇમ આઉટની અપીલ એમ્પાયર્સને કરી. જેથી એક પણ બોલ રમ્યા વિના એન્જેલોએ મેદાન છોડી જવું પડ્યું. આ મેચ પછી બાંગ્લાદેશના કેપ્ટનની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. ખેલ ભાવના ન દેખાડવાને લઇ શાકિબ ટ્રોલર્સનો શિકાર પણ બની રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.