અશ્વિને અનિલ કુંબલેના બે મોટા રેકોર્ડ તોડ્યા, પોતાના નામે કરી મોટી ઉપલબ્ધિઓ

રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના સૌથી મહત્વપૂર્ણ બોલરોમાં કેમ ગણવામાં આવે છે, તેણે અમદાવાદ ટેસ્ટ (IND vs AUS)માં ફરી એકવાર આ સાબિત કર્યું. રવિચંદ્રન અશ્વિને બીજા દિવસે બેટિંગ માટે મદદરૂપ પિચ પર પોતાની સ્પિનનો જાદુ દેખાડ્યો અને દાવમાં કુલ છ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગને સમેટી લેવાનું કામ કર્યું હતું. જ્યારે એવું લાગતું હતું કે ભારતીય બોલરો પાસે કોઈ યોજના નથી, ત્યારે રવિચંદ્રન અશ્વિને તેની બોલિંગથી ભારતને સફળતા તરફ લઇ ગયો અને પછી એક પછી એક વિકેટ ઝડપી લીધી. તેણે છ વિકેટ લેતી વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો એક વિશાળ રેકોર્ડ પણ બનાવ્યો અને ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો.

રવિચંદ્રન અશ્વિને ટોડ મર્ફીની વિકેટ લઈને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. અનિલ કુંબલેએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 30.32ની સરેરાશથી 20 ટેસ્ટમાં 111 વિકેટ લીધી હતી અને તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર અને એકંદરે બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. જો કે હવે તેનાથી રવિચંદ્રન અશ્વિન આગળ નીકળી ગયો છે, જેણે 22 ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી છે. રવિચંદ્રન અશ્વિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથન લિયોનની પણ બરાબરી કરી લીધી છે. તેણે પણ 113 વિકેટ પોતાના નામે કરી છે.

રવિચંદ્રન અશ્વિનના 6/41ના સ્પેલની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 167.2 ઓવરમાં 480 રનમાં સમેટી લેવામાં સફળતા હાંસલ કરી હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાના અનિલ કુંબલેના રેકોર્ડને તોડવા ઉપરાંત, રવિચંદ્રન અશ્વિને તેને ઘરઆંગણે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપવાના મામલે પણ પાછળ છોડી દીધો હતો. રવિચંદ્રન અશ્વિને ભારતમાં 26 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે, જ્યારે અનિલ કુંબલેએ 25 વખત ભારતીય ધરતી પર પાંચ વિકેટ લીધી છે. એકંદર યાદીમાં રવિચંદ્રન અશ્વિન શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર રંગના હેરાથ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. બંનેએ ઘરઆંગણે 26 પાંચ વિકેટ ઝડપી છે. આ યાદીમાં ટોચ પર છે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન, જેમણે શ્રીલંકામાં 45 વખત આવું પરાક્રમ કર્યું છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.