આ કેવું આયોજન? ફરી એકવાર ભારત-પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઇ શકે છે

ક્રિક્રેટના ચાહકોને દુખ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજા પણ વરસાદનો ભોગ બને તેવી શક્યતાઓ સામે આવી રહી છે. 10 સપ્ટેમ્બરે કોલંબોમાં ભારે વરસાદ અને તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

એશિયા કપ 2023 વન-ડે મેચમાં આજથી સુપર-4 મેચો શરૂ થઇ ગઇ છે. સુપર-4 સ્ટેજાં 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. દરેક જણ આ મેચની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. 2 સપ્ટેમ્બરે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી તે વરસાદને કારણે રદ કરી દેવામાં આવી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ 10 સપ્ટેમ્બરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદને ભેટ ચઢી શકે છે. આ તારીખે વરસાદ આવવાની સંભાવના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બર, રવિવારે શ્રીલંકાના કોલંબોમાં મેચ રમાવવાની નક્કી થયેલી છે. એક્યૂવેધરના રિપોર્ટ મુજબ મેચના દિવસે કોલંબોમાં વરસાદ પડવાની સંભાવના 70 ટકા છે. ઉપરાંત 10 સપ્ટેમ્બરે આખો દિવસ ઝડપથી પવન ફુંકાવવાની પણ શક્યતા છે.

હવામાનની આગાહી મુજબ ચોંકાવનારી વાત એ પણ છે કે 10 સપ્ટેમ્બરે કોલંબોમાં વરસાદી તોફાન આવવાની 45 ટકા સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉપરાંત રાત્રિના સમયે ભારે વરસાદ અને ઝડપથી પવન ફુંકાવાવાની પણ સંભાવના જાહેર કરવામાં આવી છે. સવારથી માંડીને સાંજ સુધી આકાશમાં કાળા વાળદો છવાયેલા રહેશે.

આ પહેલા એશિયા કપ 2023માં લીગ સ્ટેજ-2માં 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને 266 રનમાં ઓલ આઉટ કરી નાંખી હતી. પરંતુ પાકિસ્તાન બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરે તે પહેલા જ ભારે વરસાદને કારણે આખરે મેચ રદ જાહેર કરવામાં આવી હતી અને બંને ટીમને ડકવર્થ લૂઇસના નિયમ મુજબ 1-1 પોઇન્ટ આપી દેવામા આવ્યા હતા.

ભારત અને નેપાળ વચ્ચે 4 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં પણ વરસાદનું વિધ્ન નડ્યું હતું. નેપાળે 50 ઓવરાં 230 રન બનાવી દીધા હતા અને જ્યારે ભારતીય ટીમ મેદાન પર ઉતરી તો વરસાદ શરૂ થઇ ગયો હતો અને થોડા સમય પછી મેચમાં સ્કોર રિવાઇ કરીને ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે એક વિકેટના નુકશાન વગર 20.1 ઓવરમાં જ 145 રન બનાવીને 10 વિકેટથી મેચ જીતી લીધી હતી અને ભારત સુપર ઓવરમાં પહોંચી ગયું હતું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.