સૌરવ ગાંગુલીના મતે એશિયા કપમાં આ ઓલરાઉન્ડર ખેલાડીને ટીમમાં સામેલ કરવાની જરૂર હતી

એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામ જાહેર કરવા માટે તાજેતરમાં ચીફ સિલેકટર અજીત અગરકરની આગેવાનીમાં દિલ્હીમાં એક બેઠક મળી હતી, જેમાં 17 સભ્યોના નામ જેહાર કરવામાં આવ્યા હતા.

પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એશિયા કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે શાર્દુલ ઠાકુરને સામેલ કરવો યોગ્ય નિર્ણય નથી. જો હાર્દિક પંડ્યાનો કોઈ બેકઅપ હોય તો તે શિવમ દુબે છે અને તેને એશિયા કપની ટીમમાં પસંદ થવો જોઈતો હતો.

ઓગસ્ટ મહિનાના અંતથી શરૂ થનારા એશિયા કપ 2023 માટે પસંદગીકારોએ ટીમ ઇન્ડિયાના 17 સભ્યોની પસંદગી કરી લીધી છે અને તેની જાહેરાત કરી દેવામાં આવી છે. એશિયા કપ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓની વાપસી થઇ છે.તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાં ડેબ્યુ કરનાર તિલક વર્માને પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત શાર્દુલ ઠાકુરને પણ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

BCCIના પૂર્વ ચેરમેન સૌરલ ગાંગુલીનું માનવું છે કે એશિયા કપ ટીમમાં શિવમ દુબેનો સમાવેશ થવો જોઇએ. ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ  કે, એક નામ પર પસંદગીકારોએ જરૂરથી વિચાર કરવો જોઇતો હતો અને એ નામ છે શિવમ દુબે. ગાંગુલીએ કહ્યુ કે, શિવમ દુબે અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. તમને જો હાર્દિક પંડયાના બેકઅપની જરૂરત છે તો તેનું બેકઅપ શાર્દુલ ઠાકુર ન હોય શકે. શાર્દુલ ઠાકુર બિલુકુલ હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે ન ચાલી શકે.

સૌરવ ગાગુંલીએ આગળ કહ્યું કે, શિવમ દુબેની વાત કરીએ તો તેનું IPLમાં પણ પરફોર્મન્સ ઘણું સારું રહ્યું હતું. એ પછી ટીમ ઇન્ડિયામાં પણ તેનો સમાવેશ થયો હતો. અત્યારે શિવમ દુબે આર્યલેન્ડના પ્રવાસે છે અને ઇન્ડિયા- આર્યલેન્ડ વચ્ચે ચાલી રહેલી T-20 સીરિઝમાં ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. શિવમ દુબે પાસે બોલિંગ કરાવવામાં આવી રહી છે. શિવમ દુબેને પાર્ટ-ટાઇમ બોલર તરીકે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

શિવમ દુબેએ જ્યારે ભારત માટે પોતાનું ડેબ્યુ કર્યુ હતું, ત્યારે તેને એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડ તરીકે જોવામાં આવી રહ્યો હતો. જો કે એ પછી તેનું પ્રદર્શન ધારણા જેટલું સારું નહોતું રહ્યું.

એશિયા કપ 2023 31 ઓગસ્ટ 2023થી શરૂ થવાનો છે અને સપ્ટેમ્બર 2023ના દિવસે પુરો થવાનો છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.