ટેસ્ટ સીરિઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાને હારનો ડર, ભારત પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

ટીમ ઈન્ડિયાએ 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. પરંતુ, આ સીરિઝ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ માઈન્ડગેમ રમવાની શરૂ કરી દીધી છે. પૂર્વ ક્રિકેટર ઈયાન હિલીએ પ્રેક્ટિસ પિચ અને સીરિઝની પિચોને લઈને નિવેદન આપ્યું છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ આગામી 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને અત્યારથી જ બંને ટીમો વચ્ચે જુબાની જંગ શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રેકિટર ઈયાન હિલીએ કહ્યું છે કે, ભારતે વિશ્વાસઘાત કર્યો છે.

ઈયાન હિલીએ કહ્યું કે, અમને આશા નથી કે સીરિઝ પહેલા ભારતમાં પ્રેક્ટિસ માટે એવી પિચો આપવામાં આવશે, જે મેચ દરમિયાન હશે. પૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઉસ્માન ખ્વાજાએ હાલમાં જ ભારત પ્રવાસને લઈને નિવેદન આપ્યું હતું. ઉસ્માન ખ્વાજાને પૂછવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમ ભારત વિરુદ્ધ સીરિઝ પહેલા કોઈ પ્રેક્ટિસ મેચ શા માટે નથી રમી રહી. જેના પર ઉસ્માને કહ્યું હતું કે, તેનો કોઈ ફાયદો નથી કારણ કે, મેચ પિચ અને પ્રેક્ટિસ પિચમાં ખૂબ જ અંતર મળી રહ્યું રહ્યું છે, એવામાં પ્રેક્ટિસનો શો ફાયદો.

ઈયાન હિલીએ આ નિવેદનનું સમર્થન કર્યું અને કહ્યું કે અમે સિડનીમાં સ્પિન ટ્રેક તૈયાર કર્યો છે જેથી, ભારત પ્રવાસની તૈયારી કરી શકાય. અમને વિશ્વાસ નથી કે જેવી પ્રેક્ટિસ પિચ અમે માંગી છે, તે અમને ત્યાં મળી શકશે. તેણે કહ્યું કે, તે એ વાતનું જરા પણ સમર્થન નથી કરતો કે સીરિઝ અને પ્રેક્ટિસ પિચ પર અલગ પ્રકારની પિચ તૈયાર કરવામાં આવે. બે ક્રિકેટ દેશોની વચ્ચે આ પ્રકારનો અવિશ્વાસ હોવો ખૂબ જ ચિંતાનો વિષય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટની સીરિઝ શરૂ થઈ રહી છે. આ ચાર મેચ રમાનારી છેલ્લી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી હશે. ટીમ ઈન્ડિયાને તેના ઘરમાં હરાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, આ જ કારણ છે કે આસ્ટ્રેલિયા 2004-05થી અત્યારસુધી કોઈપણ ટેસ્ટ સીરિઝ ભારતમાં નથી જીતી શક્યું.

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝ

  • પહેલી ટેસ્ટ- 9થી 13 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી ટેસ્ટ- 17થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
  • ત્રીજી ટેસ્ટ- 1થી 5 માર્ચ, ધર્મશાળા
  • ચોથી ટેસ્ટ- 9થી 13 માર્ચ, અમદાવાદ

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.