બાબર આઝમે જણાવ્યું પાકિસ્તાનની ટીમના ખેલાડીઓએ કંઈ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે સ્વીકાર કર્યો છે કે ટીમના ખેલાડીઓ સાથે ફિટનેસની સમસ્યા છે. તેણે કહ્યું છે કે ખેલાડીઓએ ફિટનેસ પર ભવિષ્યમાં ઉચિત ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ બાબર આઝમે કોઈ ખેલાડીઓનું નામ લીધું નથી કારણ કે તે નથી ઈચ્છતા કે કોઈ ખેલાડી શર્મિંદા થાય પરંચુ સમજવું પડશે કે ફિટનેસ જરૂરી છે.

28 વર્ષીય ક્રિકેટરની આ કોમેન્ટ તેની ટીમના નિરાશાજનક સ્થાનિક સત્ર પછી આવી છે, જ્યાં તે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હારી ગયા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પાકિસ્તાનનો 3-0થી સફાયો થઈ ગયો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમની બંને ટેસ્ટ મેચ ડ્રોના રૂપમાં સમાપ્ત થી હતી. તેના પછી રમવામાં આવેલી ત્રણ વનડે મેચની સીરિઝમાં પણ પાકિસ્તાન 1-2થી હારી ગયું હતું.

બાબર આઝમનું માનવું છે કે ટીમના ખરાબ પ્રદર્શન પાછળ ખરાબ ફિટનેસ સ્તરને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. તેણે ક્રિકવિક સાથે વાત કરતા કહ્યું હતું કે, ફિટનેસ ઘણી મોટી ભૂમિકા નિભાવે છે- જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે ફિટ નથી હોતા ત્યાં સુધી બધા ફોર્મેટમાં રમી નથી શકતા. હું નથી કહી રહ્યો કે હું તેના માટે કોઈને દોષ આપું છું પરંતુ ભવિષ્યમાં આ અંગે ઉચિત ધ્યાન આપવાની જરૂર છે.

પાકિસ્તાન પોતાની જમીન પર એક પણ સીરિઝ જીતવામાં સફળ રહ્યું નથી જેના કારણે એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બાબર આઝમ એક કરતા વધારે ફોર્મેટમાં પોતાની કેપ્ટન્સી ગુમાવી શકે છે. જોકે આ અટકળોને કોઈ અંતિમ રૂપ મળ્યું નથી. પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કથિત રીતે સ્પિલ્ટ કેપ્ટન્સી મોડલને અપનાવવા માટે ઈચ્છુક છે. પાકિસ્તાનની આ હાર પાછળ પીસીબી પર આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સેટલ થઈ શકી નથી.

ગયા મહિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ઘણા બદલાવ થયા હતા, જેમાં રમીઝ રાઝાની જગ્યાએ નઝમ શેઠીએ લીધી હતી. જ્યારે સિલેક્ટર્સની સમિતિના પ્રમુખ શાહિદ આફ્રિદી બન્યો હતો. પાકિસ્તાનની ટીમના મુખ્ય કોચ પૂર્વ દિગ્ગજ સ્પિનર સકલેન મુશ્તાક છે. જ્યારે મોહમ્મદ યુસુફ બેટિંગનો છે પરંતુ લાહોરમાં સેઠીએ કહ્યું, પૂર્વ ખેલાડીઓને કામ પર રાખવામાં આવશે, અમે તેની દેખભાળ કરશું અને તેમને નોકરી આપશું પરંતુ તે ટીમને કોચિંગ નહીં આપે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.