KKRની ટીમમાં જોડાયો બાંગ્લાદેશનો દિગ્ગજ ખેલાડી, પહેલી વખત રમશે IPL

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના અભિયાનની શરૂઆત ભલે હારથી કરી હોય, પરંતુ છેલ્લી બે મેચમાં આ ટીમે પોતાની શાનદાર રમત દેખાડતા જીત પ્રાપ્ત કરી છે. રવિવારે ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ રમતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે એક ઐતિહાસિક જીત હાંસલ કરી. ટીમના યુવા બેટ્સમેન રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત 5 સિક્સ લગાવતા ટીમને શાનદાર જીત અપાવી હતી. કોલકાતા નાઈટ રાઇડર્સની આગામી મેચ 14 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ થશે, પરંતુ એ અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે બાંગ્લાદેશના દિગ્ગજ ખેલાડી લિટન દાસ ટીમ સાથે જોડાયો છે.

કોલકાતા નાઈટ રાઇડર્સે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની જાણકારી આપી છે અને જણાવ્યું કે, લિટન દાસ પહોંચી ગયો છે. ગયા વર્ષે થયેલા IPLના મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સે લિટન દાસને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સે લિટન દાસના પહોંચવાનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘પૌચે ગેચે, લિટન દા.’ બાંગ્લાદેશી ક્રિકેટ ફેન્સ અને કોલકાતાના સમર્થકોએ તેનું સ્વાગત કમેન્ટ કરતા કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kolkata Knight Riders (@kkriders)

IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાના કેટલાક મુખ્ય ખેલાડીઓની ગેરહજરીની સમસ્યામાંથી પસાર થઈ રહી છે. ટીમમાં સામેલ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું હતું. શાકીબે ફ્રેન્ચાઇઝીને ઉપલબ્ધ ન રહેવાની જાણકારી આપી દીધી છે અને માનવામાં આવી રહ્યું છે કે લીગમાં તેની ગેરહાજરીનું કારણ ઇન્ટરનેશનલ પ્રતિબદ્ધતા અને અંગત મુદ્દા છે. એ સિવાય કોલકાતાનો નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ ઇજાના કારણે આ વખત IPLમાં કોલકાતાની ટીમનો હિસ્સો નથી અને તેની ગેરહાજરીમાં કેપ્ટન્સીની જવાબદારી નીતિશ રાણા નિભાવતો નજરે પડી રહ્યો છે.

IPL 2023 માટે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ:

રહમાનુલ્લાહ ગુરબાઝ, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનિલ નરીન, ટિમ સાઉથી, અનુકૂલ રૉય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐય્યર, એન. જગદીશન, લોકી ફોર્ગ્યૂંશન, ડેવિડ વિસે. કુલવંત ખેજરોલિયા, વૈભવ અરોડા, હર્ષિત રાણા, સુએશ શર્મા, લિટન દાસ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.