BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ આપ્યું રાજીનામું, જય શાહે સ્વીકારી લીધું

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ ભારતીય ટીમ અને ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. ત્યારબાદ તેઓ સતત વિવાદોમાં હતા. હવે તેમણે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની સિલેક્શન સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને મોકલ્યું હતું અને તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

ચેતન શર્માએ એક ન્યૂઝ ચેનલના સ્ટિંગમાં સિલેક્શનના મુદ્દાઓ સાથે જોડાયેલા, વિરાટ કોહલી- સૌરવ ગાંગુલી વિવાદ, ખેલાડીઓના ફિટનેસ સહિત ઘણા મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા, ત્યારબાદ તેઓ વિવાદોમાં ફસાઈ ગયા હતા. ચેતન શર્માએ ગુપ્ત કેમેરા સામે ખુલસો કર્યો હતો કે, ભારતીય ટીમમાં ખેલાડી ઇન્જેક્શન લઈને ફિટનેસ સર્ટિફિકેટ હાંસલ કરી લે છે. તેની સાથે જ ચેતન શર્માએ ભારતીય ટીમના ખેલાડીઓને સિલેક્ટ અને ડ્રોપ કરવા પર પણ ખુલાસો કર્યો હતો.

ચેતન શર્માએ સ્ટિંગમાં BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે થયેલા વિવાદ પર પણ ખુલાસો કર્યો હતો, જેમાં વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલી પર આરોપ લગાવ્યો હતો કે તેને કહ્યા વિના જ કેપ્ટન્સીના પદ પરથી હટાવી દેવામાં આવ્યો. તેમણે કથિત રીતે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથે વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ખેલાડી 80-85 ટકા ફિટ હોવા છતા પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં જલદી વાપસી કરવા માટે ઇન્જેક્શન લે છે.

ચેતન શર્માએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 સીરિઝ માટે જસપ્રીત બૂમરાહની વાપસીને લઈને તેમના અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદ હતા. એ સિવાય ચેતન શર્મા આ વીડિયોમાં ઘણા મહત્ત્વના ખુલાસા કર્યા છે, જેને લઈને વિવાદ ઊભો થઈ ગયો હતો. વીડિયો બાદ જ ચેતન શર્મા ચર્ચામાં હતા અને સોશિયલ મીડિયા પર ફેન્સે તેમની ક્લાસ લઇ રહ્યા હતા. આ દરમિયાન સતત BCCI પાસે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી હતી અને હવે ચેતન શર્માએ રાજીનામું આપી દીધું છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માઅને આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત થયેલા T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ પણ હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ તેમને રિટર્ન કરવામાં આવ્યા હતા. ચેતન શર્માના ચીફ સિલેક્ટર રહેતા ભારતીય ટીમનું પ્રદર્શન પણ ખૂબ ખરાબ રહ્યું હતું. ભારતીય ટીમ ચેતન શર્માના કાર્યકાળમાં એક પણ ICC ટ્રોફી જીતી શકી નથી. BCCIએ નવી સિલેક્શન સમિતિમાં ચેતન શર્મા સિવાય, શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન શરથને ચાંસ આપ્યો હતો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.