ફાઇનલમાં જીત બાદ સંન્યાસને લઈને ધોની બોલ્યો- સંન્યાસ માટે આ બેસ્ટ સમય..

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન રમશે કે નહીં, તેનો જવાબ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023ની ટ્રોફી જીત્યા બાદ કહ્યું કે, તે આગામી વર્ષે પણ IPL રમશે. ધોનીના જણાવ્યા મુજબ, તેના સંન્યાસ માટે આ બેસ્ટ સમય હતો કેમ કે તેઓ ટ્રોફી જીતી ચૂક્યા હતા, પરંતુ ફેન્સ તરફથી પણ જે પ્રેમ મળ્યો અને સન્માન મળ્યું છે તેના કારણે તે વધુ એક સીઝન રમવા માગે છે.

IPL 2023ની જ્યારે પહેલી મેચ રમાઈ હતી, ત્યારે જ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. આ જ કારણ છે કે, આ IPL સીઝન દરેક ગ્રાઉન્ડમાં તેના માટે જોરદાર સપોર્ટ જોવા મળ્યો. મહેન્દ્ર સિંહ ધોની જ્યાં પણ જતો હતો, ત્યાં તેને પૂરો સપોર્ટ મળતો હતો. ફેન્સના આ પ્રેમને જોતા મહેન્દ્ર સિંહ ધોનીએ આગામી સીઝનમાં પણ રમવાનો નિર્ણય લીધો છે.

તેણે ફાઇનલ મેચ જીત્યા બાદ કહ્યું હતું કે, જો તમે જુઓ તો રિટાયરમેન્ટ લેવાનો આ સૌથી બેસ્ટ સમય છે, પરંતુ જે પ્રકારે મને આ સીઝનમાં પ્રેમ મળ્યો છે, મારા માટે સૌથી સરળ હશે કે હું પોતાના સંન્યાસની જાહેરાત કરી દઉં. ધોનીએ આગળ કહ્યું કે, જો કે, મુશ્કેલ વસ્તુ છે કે 9 મહિના સુધી વધુ સખત મહેનત કરવી અને પરત આવીને ઓછામાં ઓછી વધુ એક IPL સીઝન રમવી. બધુ મારી બોડી પર નિર્ભર કરે છે. મારી પાસે અત્યારે 6-7 મહિના છે આ વસ્તુને લઈને નિર્ણય લેવા માટે.

એ મારા તરફથી એક ગિફ્ટ હશે. સરળ નથી, પરંતુ હું આ ગિફ્ટ આપવામાં માગું છું. જે પ્રકારે તેમણે મારા માટે પ્રેમ દેખાડ્યો છે, મારા હિસાબે મારે તેમના માટે એ કરવું જોઈએ. ચેન્નાઈ સુપર કિંગ્સએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી છે. મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.

સાઈ સુંદર્શને 47 બૉલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 8 ફોર અને 6 સિક્સ સામેલ રહ્યા. તો વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાએ 39 બૉલનો સામનો કરતા 54 રન બનાવ્યા. એ સિવાય શુભમન ગિલે 39 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 21 રન બનાવ્યા હતા. 215 રનનો પીછો કરવા ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાનમાં ઉતરી જ હતી કે પહેલી જ ઓવરમાં વરસાદે ખલેલ પહોંચાડી. ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી અને પછી મેચમાં ઓવર ઘટાડીને 15 ઓવરની કરી દેવામાં આવી. ચેન્નાઈને 15 ઓવરમાં ચેન્નાઈએ 171 રનનો ટારગેટ મળ્યો જેને ચેન્નાઈએ છેલ્લા બૉલ પર હાંસલ કરીને પાંચમી વખત ટ્રોફી પોતાના નામ કરી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.