અર્જુન બનશે 'સ્પીડનો બાદશાહ', આટલી ઝડપે બોલ ફેંકીને સર્જશે રેકોર્ડઃ બ્રેટ લી

અર્જુન તેંડુલકરે આખરે IPLમાં ડેબ્યુ કર્યું. અર્જુને પ્રથમ 2 મેચમાં શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ ત્રીજી મેચમાં અર્જુને ફેંકેલી ઓવરમાં 31 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી અર્જુને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વાપસી કરી અને રિદ્ધિમાન સાહાને 2 ઓવરમાં 9 રન આપીને આઉટ કર્યો. આટલું જ નહીં અર્જુને બેટિંગ કરતા 9 બોલમાં 13 રન પણ બનાવ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, જ્યારથી અર્જુને IPLમાં ડેબ્યૂ કર્યું છે, ત્યારથી તેની બોલિંગની ટીકા થઈ રહી છે. ખરેખર, અર્જુનની બોલિંગ 130 થી 135 કિમી પ્રતિ કલાકની સ્પીડ લે છે. આ અંગે લોકોએ ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો માને છે કે, અર્જુન પાસે તેટલી ગતિ નથી કે જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધારે ચાલી શકે.

આવી સ્થિતિમાં હવે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી બ્રેટ લીએ સચિન તેંડુલકરના પુત્ર અર્જુનનો બચાવ કર્યો છે. બ્રેટ લીએ Jio TVના કાર્યક્રમમાં અર્જુન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અર્જુન વિશે બ્રેટ લીએ કહ્યું, 'જ્યારે અર્જુનને હૈદરાબાદ સામે છેલ્લી ઓવર આપવામાં આવી હતી અને તેણે 20 રન બચાવીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બોલિંગ કરી. જે તેમના માટે ઘણું સારું છે. તે સતત શીખતો રહે છે. જોકે, તે પછીની મેચમાં તેની બોલિંગમાં વધારે રન બન્યા હતા. પરંતુ T-20 ક્રિકેટમાં બોલરો સાથે આવું થાય છે. મેં હંમેશા કહ્યું છે કે, આ ફોર્મેટમાં બોલરો સાથે આવું થતું રહે છે. તે મારી સાથે પણ ઘણી વખત બન્યું હતું.'

આ સિવાય બ્રેટ લીએ અર્જુનની બોલિંગ સ્પીડને લઈને ઉઠતા સવાલ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, 'તમે જુઓ, સંદીપ શર્મા 120 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. અર્જુનની સ્પીડ તેના કરતા ઘણી સારી છે. તે શીખી રહ્યો છે, તે હજુ માત્ર 23 વર્ષનો જ છે. મને ખાતરી છે કે આગળ જતાં તે 140kmphની ઝડપે બોલિંગ કરશે.'

બ્રેટ લીએ પોતાની વાતમાં એ પણ કહ્યું કે, 'તેના પિતા સાથે પણ આવું જ થયું હતું. તેમની પણ ઘણી ટીકા થતી હતી. પરંતુ મને લાગે છે કે અર્જુન પાસે ક્ષમતા છે, સમય જતાં તે 140 Km પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.