રિઝવાન સામે 'જય શ્રી રામ'ના નારા લાગતા દર્શકો પર ભડક્યા મંત્રી ઉદયનિધિ, લખ્યું..

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ વર્લ્ડ કપ મેચ સમાપ્ત થઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. હવે આ મેચનો વીડિયો શેર કરતા તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો મેદાનમાંથી પેવેલિયન પરત ફરી રહેલા પાકિસ્તાની ખેલાડીની સામે જોર જોરથી 'જય શ્રી રામ' કહી રહ્યા છે. ઉદયનિધિએ કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે.

ઉદયનિધિ તમિલનાડુના CM MK સ્ટાલિનના પુત્ર છે. ઉદયનિધિએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારત તેની રમતગમતની સદ્ભાવના અને આતિથ્ય માટે જાણીતું છે. જો કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું તે અસ્વીકાર્ય અને નિમ્ન સ્તરની નવી સીમા હતી. રમત તો રાષ્ટ્રો વચ્ચે એકતા અને સાચા ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. તેનો ઉપયોગ નફરત ફેલાવવાના સાધન તરીકે ઉપયોગ કરવું નિંદનીય છે.

આ પોસ્ટને લઈને ઘણા ક્રિકેટ ફેન્સે ઉદયનિધિને ટ્રોલ કર્યા હતા અને કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ ઉભા હતા.

વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે, ગ્રાઉન્ડ પરથી પરત ફરી રહેલો પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ રિઝવાન છે. T-શર્ટ પર 16 નંબર પણ લખાયેલો દેખાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગઈકાલની મેચની પ્રથમ ઇનિંગમાં પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાબરની ટીમે ભારતને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સિરાજે અબ્દુલ્લા શફીકની પ્રથમ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ ઈમામ-ઉલ-હકની બીજી વિકેટ લીધી હતી. આ પછી પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને કેપ્ટન બાબર આઝમ સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી હતી. જોકે મોહમ્મદ રિઝવાન 49 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન માટે કેપ્ટન બાબર, મોહમ્મદ રિઝવાન અને ઇમામ-ઉલ-હક સિવાય કોઈ બેટ્સમેન 20થી વધુ રન બનાવી શક્યો નહોતો.

જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર શુભમન ગિલ ચાર ચોગ્ગા ફટકાર્યા બાદ 16 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ 16 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ 63 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. રોહિતે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. અય્યર અને KL રાહુલે ટીમને જીત તરફ દોરી હતી. ODI વર્લ્ડ કપ 2023માં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. ભારત તેની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશની ટીમ સાથે રમશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.