ક્રિકેટના ભગવાને એવી ટ્વિટ કરી જે ટાઇમ મશીનનું કામ કરશે

On

2 એપ્રિલ 2011ની તારીખ કોઈ પણ ભારતીય નહીં ભૂલી શકે. મહેન્દ્ર સિંહ ધોનીના આઇકોનિક સિક્સ સાથે ભારતીય ટીમે ICC વર્લ્ડ કપ 2011ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. વર્ષ 1983માં કપિલ દેવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો અને એ સમયે સચિન તેંદુલકરની ઉંમર 10 વર્ષ વર્ષ હતી. 10 વર્ષની ઉંમરમાં સચિન તેંદુલકરે સપનું જોયું હતું કે, તેઓ ભારતીય ટીમ માટે રમશે અને વર્લ્ડ કપ જીતાડશે. સચિન તેંદુલકરે ભારત તરફથી 6 વર્લ્ડ કપ રમ્યા અને તેમનું સપનું પૂરું થયું હતું વર્ષ 2011માં.

વર્લ્ડ કપ 2011ના સમયે વિરાટ કોહલી યુવા ખેલાડી હતો અને તેણે કહ્યું હતું કે, સચિન તેંદુલકરે લાંબા સમય સુધી આશાઓનો ભાર પોતાના ખભા ઉપર રાખ્યો છે અને હવે સમય છે કે તેમને ખભા પર બેસાડવામાં આવે. 2 એપ્રિલ 2024ના રોજ સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર 2011ના વર્લ્ડ કપની તસવીર શેર કરીને જે લખ્યું છે એ તમારા માટે ટાઈમ મશીનનું કામ કરશે અને તમે પણ એ ઐતિહાસિક દિવસ સુધી પહોંચી જશો.

સચિન તેંદુલકરે X પર એક તસવીર સાથે કરેલી પોસ્ટમાં લખ્યું કે, '13 વર્ષ અગાઉ, મારા બાળપણનું સપનું સાચું થઈ ગયું હતું. હંમેશાં હું એ યાદો માટે, ટીમ માટે અને અબજો લોકોના સપોર્ટ માટે આભારી રહીશ.' ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ જીતી હતી. ભારતીય ટીમે આ મેચ 10 બૉલ બાકી રહેતા 6 વિકેટથી જીતી હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા હતા.

275 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 31 રનોની અંદર વીરેન્દર સેહવાગ અને સચિન તેંદુલકરની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી સાથે મળીને 114 રનો સુધી પહોંચાડી હતી. વિરાટ કોહલી આઉટ થયા બાદ મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 79 બૉલમાં 91 રનોની ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર 122 બૉલમાં 97 રન બનાવીને આઉટ થયા હતા.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.