IPL 2023 પર કોરોનાનું સંકટ, આ દિગ્ગજ પૂર્વ ખેલાડી વાયરસથી સંક્રમિત

ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆત અત્યારસુધી ખૂબ જ શાનદાર રહી છે. ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમાઈ ગઈ છે પરંતુ, હવે તેને લઇને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોનાનો એક મામલો સામે આવવાના કારણે દરેક વ્યક્તિ ચિંતિત છે. IPL 2023માં કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા આ લીગના પહેલા અઠવાડિયા દરમિયાન જ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. 45 વર્ષીય આકાશ ચોપડાએ ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્યની જાણકારી અંગે અપડેટ આપ્યું છે અને કહ્યું કે, તેમને હળવા લક્ષણો છે અને તેઓ થોડાં દિવસો માટે કમેન્ટ્રીથી અલગ રહેશે. આકાશ ચોપડાએ મંગળવારે ટ્વીટ કર્યું, કોરોનાએ કાટ એન્ડ બોલ્ડ કર્યો. સી વાયરસે ફરી સંક્રમિત કર્યો. હળવા લક્ષણો છે. બધુ જ નિયંત્રણમાં છે.

તેમણે આ સાથે જ કહ્યું કે, થોડાં દિવસો માટે કમેન્ટ્રી ડ્યૂટીથી અલગ રહીશ. પરંતુ, મજબૂતાઇ સાથે વાપસી કરીશ TATA IPL. આકાશ ચોપડા IPLના ડિજિટલ પ્રસારક જિયોસિનેમાના સ્ટાર્સથી સુસજ્જિત કમેન્ટ્રી પેનલનો હિસ્સો છે જે 31 માર્ચથી શરૂ થઈ છે. પૂર્વ ક્રિકેટર કમેન્ટ્રી જ નહીં પરંતુ, અન્ય શોઝનો પણ હિસ્સો છે આથી આયોજક અને પ્રસારક તમામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આકાશ ચોપડા પર બારીકાઇથી નજર રાખવામાં આવશે.

31 માર્ચથી શરૂ થયેલી IPLની આ સિઝનનો ખુમાર સૌ કોઇ પર જોવા મળી રહ્યો છે. ઘણા રોમાંચક મુકાબલા અત્યારસુધી જોવા મળ્યા છે. જેમ જેમ આ મહામુકાબલાનો સફર આગળ વધી રહ્યો છે તેમ તેમ રોમાંચ પણ વધી રહ્યો છે. કમેન્ટ્રીમાં આકાશ ચોપડાનો એક અલગ જ જાદુ જોવા મળે છે. ઘણા લોકો તેની કમેન્ટ્રીને ખૂબ જ પસંદ કરે છે.

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાતની IPLમાં બીજી મેચ આજે એટલે કે 4 એપ્રિલે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર વિજય શંકરનું શુભમન ગિલને લઇને એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિજય શંકરનું કહેવુ છે કે, પાછળની મેચોમાં શુભમન ગિલની મહેનતના કારણે ટીમને ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે.

IPLની ઓપનિંગ મેચ 31 માર્ચે ચારવારની ચેમ્પિયન CSK અને IPL માં અગાઉની સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાઇ હતી. તેમા ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે જીત મળી હતી. ગુજરાતે આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.