પૂર્વ ખેલાડીએ કહ્યું-ગિલ જાણતો હતો કે આ કરો યા મરોવાળી સ્થિતિ છે, આગામી T20માં..

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ સમાપ્ત થઇ ચૂકી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં શુભમન ગિલે શાનદાર સદી લગાવીને ખૂબ ચર્ચા મેળવી છે. શુભમન ગિલની સદીના વખાણ દરેક કરી રહ્યું છે. વખાણોના આ સિલસિલા વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શુભમન ગિલની વાહ-વાહી થઇ રહી છે. શુભમન ગિલની આ ઇનિંગને જોયા બાદ પૂર્વ સ્પિનર દાનિશ કનેરીયાએ કહ્યું કે, શુભમન ગિલે આ ઇનિંગથી સાબિત કર્યું છે કે તે T20માં પણ એક ક્લાસ ખેલાડી છે.

દાનિશ કનેરીયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, શુભમન ગિલ જાણતો હતો કે આ કરો યા મરોવાળી સ્થિતિ છે. તે જાણતો હતો કે જો તે પ્રદર્શન કરતો નથી તો આગામી T20 ઇન્ટરનેશનલ માટે તેના નામ પર વિચાર નહીં કરવામાં આવે, પરંતુ તેને સાબિત કરી દીધું કે તે T20 ઇન્ટરનેશનલમાં પણ એક ક્લાસ ખેલાડી છે. તેણે આગળ કહ્યું કે, શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગ સાથે પોતાના બધા ટીકાકારોને જવાબ આપ્યો છે.

તેમાં કોઇ શંકા નથી કે, તેણે માત્ર 6 T20 મેચ રમી છે. એમ લાગી રહ્યું હતું કે, પહેલી 5 ઇનિંગમાં તે T20 ખેલાડી નહોતો, પરંતુ આજે તેણે ક્લાસ સાથે બેટિંગ કરી અને ઉચિત ક્રિકેટ શોટ લગાવ્યા. તે શરૂઆતમાં સંઘર્ષ કરે છે, પરંતુ એક વખત સેટ થઇ ગયા બાદ બૉલ તેના બેટ વચ્ચે આવે છે અને મેદાન બહાર જાય છે. શુભમન ગિલે ત્રીજી મેચમાં નોટઆઉટ 126 રનોની આ ઇનિંગમાં કુલ 12 ફોર અને 7 સિક્સ લગાવ્યા. શરૂઆતમાં શુભમન ગિલ મોટા શોટ્સ ન રમ્યો, પરંતુ એક વખત સેટ થયા બાદ તેણે સતત બૉલને બાઉન્ડ્રી બહાર મોકલ્યા.

દાનિશ કનેરીયાએ કહ્યું કે, T20 માત્ર સિક્સ મારવા અને એક્સપરિમેન્ટ શોટ્સ લગાવવા બાબતે નથી. તમે ક્રિકેટ શૉટ રમી શકો છો અને સદી બનાવી શકો છો. બોલરોને ખબર નહોતી કે તેમણે ક્યાં બોલિંગ કરવાની છે. તેનું શૉટ સિલેક્શન શાનદાર હતું. મને લાગે છે કે તે શાનદાર ઇનિંગ હતી, જેણે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 234 રન બનાવ્યા હતા, 235 રનનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 66 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સીરિઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.