આ તારીખે ધોની રમી શકે છે ફેરવેલ મેચ, આ સ્ટેડિયમમાં રમાશે છેલ્લી મેચ

IPL ની 16મી સીઝન 31 માર્ચથી શરૂ થવાની છે, જે 28 મે સુધી ચાલશે. રિપોર્ટ્સ અનુસાર, હાલની સીઝન મહેન્દ્ર સિંહ ધોનીની ખેલાડી તરીકે આ છેલ્લી સીઝન હોઈ શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે. તે અનુસાર, જો ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ ના કરી શકે તો 14 મેના રોજ ચેપક સ્ટેડિયમ ધોનીના ફેરવેલ મેચની મેજબાની કરશે. આ દિવસે CSKનો સામનો KKR સાથે થશે. જોકે, તે CSKની છેલ્લી લીગ મેચ નહીં હશે. ટીમને છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે દિલ્હીમાં 20 મેના રોજ રમાવાની છે. પરંતુ, રિપોર્ટ અનુસાર, એમ એસ ધોની ચેપકમાં ફેરવેલ મેચ રમવા ઈચ્છે છે. તેણે 2021માં એ વાત કહી પણ હતી કે તે ઈચ્છે છે કે ચેન્નએઈમાં તે પોતાની છેલ્લી T20 મેચ રમે. CSKના અધિકારીના જણાવ્યા અનુસાર, એક ખેલાડી તરીકે આ ધોનીની છેલ્લી સીઝન હશે. અમે આ જ જાણીએ છીએ અને ઉલ્લેખનીય છે આ તેનો નિર્ણય છે.

કેપ્ટનશીમાં ધોનીનો રેકોર્ડ

વર્ષ

રેકોર્ડ

2021

ચેમ્પિયન

2019

રનર્સઅપ

2018

ચેમ્પિયન

2015

રનર્સઅપ

2013

રનર્સઅપ

2012

રનર્સઅપ

2011

ચેમ્પિયન

2010

ચેમ્પિયન

2008

રનર્સઅપ

એમ એસ ધોનીની કેપ્ટનશિપમાં CSKએ ચાર IPL અને બે ચેમ્પિયન્સ લીગ જીતી છે. તેની જીતની ટકાવારી 59.60 છે. તે IPLમાં 100+ મેચ જીતનારો એકમાત્ર કેપ્ટન છે. ટીમે 204 મેચોમાંથી 121 મેચમાં જીત મેળવી છે. એટલું જ નહીં, તે 20મી ઓવરનો બેસ્ટ બેટ્સમેન પણ છે. IPLની 20મી ઓવરમાં 500+ રન બનાવનારો તે એકમાત્ર ખેલાડી છે. તે 554 રન બનાવી ચુક્યો છે.

CSK પોતાના અભિયાનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ કરશે. આ મેચ પહેલા જ દિવસ એટલે કે 31 માર્ચના રોજ અમદાવાદમાં રમાશે. ચેન્નઈ ઘરેલૂં મેદાન પર પોતાની પહેલી મેચ લખનૌ સામે 3 એપ્રિલના રોજ રમશે. ચેન્નઈમાં ત્રણ વર્ષ બાદ IPL મેચ રમાશે. ધોની 1427 દિવસ બાદ ચેપક સ્ટેડિયમ પર રમવા માટે ઉતરશે.

ધોનીના ગયા બાદ ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ, ભારતનો અજિંક્ય રહાણે તેમજ ઋતુરાજ ગાયકવાડ CSK માટે કેપ્ટનશિપની રેસમાં સામેલ છે. ટીમ જાડેજા સાથે પાછી ફરવા નથી ઈચ્છતી. ટીમ ઋતુરાજને ભવિષ્યના કેપ્ટનના રૂપમાં પરખી શકે છે. રહાણેને કેપ્ટનશિપનો અનુભવ છે. બેન સ્ટોક્સની પાસે પણ ઘણો અનુભવ છે. એટલું જ નહીં, તેને લીડરશિપના ગુણ અંગે જાણકારી પણ છે, આથી તેની દાવેદારી પણ મજબૂત માનવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.