ધોનીનો ખાસ મિત્ર બનશે ટીમ ઈન્ડિયાનો મોટો દુશ્મન, રાંચી T20 મેચ પહેલા આપી ધમકી

આવતીકાલે રાંચીમાં ભારત વિરૂદ્ધ રમાનારી પ્રથમ T20 મેચ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને મોટી ધમકી મળી છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મિત્ર આવતીકાલે રાંચીમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો દુશ્મન સાબિત થશે.હાર્દિકની કેપ્ટન્સીમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ કિવી ટીમને પછાડવા માટે તૈયાર છે. પરંતુ આ મેચમાં એક એવો ખેલાડી છે જેનાથી ટીમ ઈન્ડિયાને બચીને રહેવાની જરૂર છે.

ભારત વિરૂદ્ધ આવતીકાલે રાંચીમાં રમાનારી પ્રથમ T20 મેચ પહેલા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને મોટી ધમકી મળી છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો મિત્ર આવતીકાલે રાંચીમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો દુશ્મન સાબિત થશે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટીમ ઈન્ડિયાને ધમકી આપતા કહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ અને કોચ સ્ટીફન ફ્લેમિંગ સાથે વિતાવેલો સમય ભારત સામેની T20 સીરિઝ જીતવામાં કામ આવશે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે છેલ્લે વર્ષ 2021માં ભારત સામેની ત્રીજી અને છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટનશીપ કરી હતી. મિશેલ સેન્ટનર નિયમિત કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડની કપ્તાની સંભાળી રહ્યો છે. મિશેલ સેન્ટનરે કહ્યું, 'મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટીફન ફ્લેમિંગ બંને ખૂબ જ શાંત છે અને હું પણ એક જ પ્રકારનો છું. તેની સાથે રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે.

મિશેલ સેન્ટનરે કહ્યું, 'મહેન્દ્ર સિંહ ધોનીના ઘરેલું ગ્રાઉન્ડ પર આવીને સારુ લાગી રહ્યું છે. સ્ટીફન ફ્લેમિંગ પણ આ જ પ્રકારનો શાંત છે અને અમે આ ટીમમાં પણ એવું જ વાતાવરણ રાખ્યું છે.' આ વર્ષે વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, જેના કારણે તે ફોર્મેટને પસંદ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મિશેલ સેન્ટનરે કહ્યું કે દેશ માટે દરેક મેચ રમવી એ ગર્વની વાત છે. મિશેલ સેન્ટનરે કહ્યું, 'આજકાલ વન-ડે ક્રિકેટમાં મોટા સ્કોરનો આંકડો T20 જેવો થઈ ગયો છે. T20નો અનુભવ વન-ડેમાં કામમાં આવશે જ્યાં અમે મોટા સ્કોર અને સારા શોટ્સ જોયા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.