શું ધોનીએ ચીટિંગ કરીને જીતી ગુજરાત સામેની મેચ? ફાઇનલમાંથી થઈ શકે છે બહાર

ચેન્નાઈ સુપર કિંગ્સ 2023 ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ છે. ગત મંગળવારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી CSK એ ક્વોલિફાયર-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને હરાવી હતી. પરંતુ, આ મેચમાં ધોનીએ કંઇક એવુ કર્યું હતું, ત્યારબાદ તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે અને તેના પર ફાઇનલ પહેલા બહાર થવાનું જોખમ મંડરાઇ રહ્યું છે. આખરે ધોનીએ ગુજરાત વિરુદ્ધ ક્વોલિફાયર મેચમાં એવુ શું કર્યું કે જેના પર બવાલ થઈ રહી છે. શું છે આખો વિવાદ, તમે પણ જાણી લો.

મહેન્દ્ર સિંહ ધોનીને લઇને જે વિવાદ છે, તેના કેન્દ્રમાં ટીમનો ફાસ્ટ બોલર મથીશા પથિરાના છે. ગુજરાત વિરુદ્ધ ક્વોલિફાયર-1માં મથીશા ઇજાના કારણે મેદાનમાંથી 8 મિનિટ કરતા વધુ બહાર રહ્યો હતો. તે જ્યારે પાછો આવ્યો તો તરત ધોનીએ તેની પાસે બીજી ઓવર કરાવવા માટે બોલ પકડાવી દીધો. આ ઘટના ગુજરાતની ઇનિંગની 16મી ઓવરમાં બની હતી. પથિરાના પોતાના સ્પેલની બીજી ઓવર ફેંકવા આવ્યો હતો. આ જ વાતથી વિવાદની શરૂઆત થઈ. આ દરમિયાન ઘણી મિનિટ સુધી ધોની અને અમ્પાયર વચ્ચે ચર્ચા થતી રહી અને મેચ અટકી રહી. આખરે પથિરાનાએ જ 16મી ઓવર ફેંકી. ધોનીની ચાલ ભલે સફળ રહી. પરંતુ, ઘણા પૂર્વ દિગ્ગજોએ ધોનીની સાથોસાથ અમ્પાયરોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા.

IPLની પ્લેઇંગ કંડિશન અનુસાર, એક ખેલાડી જે આંતરિક ઇજાને પગલે મેદાન છોડે છે- અથવા કોઈ અન્ય કારણોસર 8 મિનિટ કરતા વધુ સમય સુધી મેદાનમાંથી બહાર જાય છે તો પાછા આવવા પર બોલિંગની પરવાનગી મળતા પહેલા તેણે એટલો જ સમય મેદાન પર વીતાવવો પડશે. જણાવી દઇએ કે, મથીશા પથિરાના ગુજરાતની ઇનિંગની 12મી ઓવર ફેંક્યા બાદ સારવાર માટે મેદાનમાંથી બહાર ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો તો ધોનીએ તેને 16મી ઓવર ફેંકવા માટે કહ્યું. ત્યારે ગુજરાતે 6 વિકેટના નુકસાન પર 102 રન બનાવી લીધા હતા અને ગુજરાતને 71 રનની જરૂર હતી.

ઈએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની ફીલ્ડ સેટ કરી રહ્યો હતો. ત્યારે તેણે જોયુ કે, અમ્પાયર અનિલ ચૌધરી મથીશા પથિરાના સાથે વાત કરી રહ્યા હતા. ત્યારબાદ ધોની સક્વેર લેગ પર ઊભા અમ્પાયર ક્રિસ ગેફની પાસે ગયો અને એ જાણકારી લીધી કે, અમ્પાયર તેના બોલર સાથે શું વાત કરી રહ્યા છે. આ દરમિયાન કોમેન્ટેટર્સે જણાવ્યું કે, પથિરાના આશરે 9 મિનિટ મેદાનમાંથી બહાર રહ્યો હતો તો ચર્ચા એ વાતને લઇને થઈ રહી હતી કે, શું પથિરાના બોલિંગ કરી શકે છે કે નહીં.

રિપોર્ટ અનુસાર, ધોનીની મેચ ઓફિશિયલ્સ અને અમ્પાયરે એ જાણકારી આપી કે, નિયમો અંતર્ગત પથિરાનાએ બોલિંગ કરતા પહેલા થોડો સમય રાહ જોવી પડશે. જોકે, ધોનીએ એ વાતને લઇને ચર્ચા કરી કે તેની પાસે પથિરાના પાસે બોલિંગ કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે, દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને મહીશ તીક્ષ્ણા પોતાના કોટાની 4 ઓવર ફેંકી ચુક્યા છે. વાતચીત દરમિયાન, મેચ અટકી રહી અને 4-5 મિનિટનો સમય વીતી ગયો. ત્યારબાદ, પથિરાનાને બોલિંગની પરવાનગી આપવામાં આવી અને ધોનીનું કામ થઈ ગયુ. તેણે બીજી ઓવરમાં 13 રન આપ્યા અને પછી બીજી ઓવરમાં વિજય શંકરને આઉટ કરી દીધો.

આ સવાલ હજુ પણ પૂછાઈ રહ્યો છે કે, શું અમ્પાયરે અનુચિત ગેમ કાયદો, 41.9 અંતર્ગત CSK ને સજા આપવા અંગે વિચાર્યું, જે ફીલ્ડિંગ દરમિયાન સમય બરબાદ કરવા સાથે સંકળાયેલો છે. આ નિયમ અનુસાર, એવુ કરવા પર અમ્પાયરે ફીલ્ડિંગ ટીમને પહેલી અને ફાઇનલ ચેતવણી જાહેર કરવાની હોય છે અને જો તેમને લાગે કે, ઓવર દરમિયાન જાણીજોઈને સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે, તો ફરીવાર એવુ કરવા પર ફીલ્ડિંગ ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવી દેવામાં આવે છે અને બોલરને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જોકે, નિયમનું ઉલ્લંઘન થયુ છે કે નહીં, તે અમ્પાયર નક્કી કરે છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે ધોની અને અમ્પાયરો પર સવાલ ઉઠાવતા ટ્વિટ કર્યું છે. હોગે લખ્યું, ધોનીએ પોતાની હાજરીનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 4 મિનિટ સુધી અમ્પાયરને પોતાની વાતોમાં પરોવીને રાખ્યા. જેથી તે પથિરાના પાસે 16મી ઓવર કરાવી શકે. અમ્પાયરે સ્થિતિ પોતાના હાથમાં રાખવી જોઈતી હતી. પરંતુ, તેઓ હસી રહ્યા હતા, જે યોગ્ય નથી. ત્યારબાદથી એ વાતચીત થઈ રહી છે કે, ધોનીએ જાણીજોઈને સમય બરબાદ કર્યો અને તેના પર દંડ લગાવવામાં આવી શકે છે અથવા કડક કાર્યવાહી કરતા ફાઇનલ મેચ માટે બેન કરવામાં આવી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.