ધોનીની હરકત પર ICCના પૂર્વ અમ્પાયર ગુસ્સે, કહ્યું- કદાચ ધોની નિયમોથી ઉપર છે

PC: BCCI

મહેન્દ્ર સિંહ ધોની, એ ખોટો નહીં હોય શકે. એવું તેના ફેન્સ માને છે. માહી આર્મી કોઈ પણ પરિસ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂલ માનતી નથી, પરંતુ તેનાથી દુનિયાને કોઈ ફરક પડતો નથી. લોકો તો ખોટાને ખોટું જ કહેશે અને એમ કહેનારાઓમાં ICCના પૂર્વ અમ્પાયર હેરેલ હાર્પર પણ સામેલ થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ મેચમાં વેસ્ટ ટાઇમ કરવા માટે અમ્પાયર્સને બહેસમાં રોકી રાખ્યા અને તેના પર ઘણા લોકોએ આપત્તિ દર્શાવી અને એમ કરનારા લગભગ દરેક વ્યક્તિને માહીના ફેન્સનું ખરું ખોટું સાંભળવું પડ્યું.

પરંતુ આ વાતથી જરા પણ ચિંતિત ન થતા, હરપરે મહેન્દ્ર સિંહ ધોનીની અપમાનજન હરકત પર નારાજગી વ્યક્ત કરી. સાથે જ તેણે કહી સુધી કહી દીધું કે, કદાચ ધોની નિયમોથી ઉપર છે. આ વાત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી ક્વાલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સની બેટિંગની 16મી ઓવર અગાઉની છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ અમ્પાયરને ઘેરી લીધો. એ સમયે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમને જીત માટે 30 બૉલમાં 71 રનની જરૂરિયાત હતી, પરંતુ ધોની કોઈ પ્રકારે રિસ્ક લેવાના પક્ષમાં નહોતો.

તે ઈચ્છતો હતો કે તેનો પ્રીમિયમ ડેથ બોલર મથિશા પથિરાના જ ઓવર નાખે, પરંતુ અમ્પાયર્સ એ વાતથી સહમત નહોતા. તેમનું કહેવું હતું કે, શ્રીલંકન બોલર 4 મિનિટ સુધી ફિલ્ડથી બહાર હતો એટલે નિયમો મુજબ ફરી બોલિંગ યોગ્ય થવા માટે તેણે એટલો જ સમય ગ્રાઉન્ડ પર વિતાવવો પડશે અને એ જોઈને ધીનીએ ચાલાકી દેખાડી અને પોતાના ખેલાડીઓ સાથે અમ્પાયર્સને ઘેરી લીધા અને પૂરી 4 મિનિટ સુધી અમ્પાયર્સ સાથે બહેસ કરતા રહ્યા. 4 મિનિટ વીતી ગયા બાદ જ પથિરાના બોલિંગ યોગ્ય થઈ ગયો, પરંતુ આ હરકતે ધોનીને સવાલોના ઘેરામાં લાવી દીધો.

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર પણ આ હરકતથી નારાજ હતા અને હવે હાર્પર પણ તેમની સાથે જ દેખાઈ રહ્યા છે. તેણે સ્પષ્ટ કહ્યું કે, આ હરકત નિશ્ચિત રૂપે સ્પિરિટ ઓફ ક્રિકેટ વિરુદ્ધ હતી. તેણે કહ્યું કે, ધોનીએ મહત્ત્વપૂર્ણ 16મી ઓવરમાં પોતાનું પસંદગીનું બોલિંગ ઑપ્શનનો ઉપયોગ કરવા માટે ટાઇમ વેસ્ટ કર્યો. હું આ નિરાશાજનક દૃશ્યથી બસ એટલો જ નિષ્કર્ષ કાઢી શક્યો છું. મારા માટે સૌથી મોટી સમસ્યા એ છે કે ત્યાં સ્પિરિટ ઓફ ક્રિકેટ અને અમ્પાયર્સને જરાય સન્માન ન મળ્યું.

કેપ્ટન પાસે બોલિંગ ઓપ્શન હતું, પરંતુ તેમને ઇગ્નોર કરવામાં આવ્યા. કદાચ કેટલાક લોકો નિયમ કે આ બાબતે સ્પિરિટ ઓફ ક્રિકેટથી મોટા છે. એ જોવું હંમેશાં નિરાશાનજક હોય છે કે કેટલાક લોકો જીત માટે કઈ હદ સુધી જતા રહે છે. જાહેર છે કે હાર્પરની વાતો વજન તો છે, પરંતુ માહીના ફેન્સ આ વાતો પણ નહીં સાંભળે કેમ કે કે તેમના માટે માહી એ કેપ્ટન છે જેણે પોતાની ટીમને જીત આપવી. એ પણ કોઈ નિયમ તોડ્યા વિના, શું થયું જો તેનાથી સ્પિરિટ ઓફ ક્રિકેટ જેવી અજાણી વસ્તુ હર્ટ થઈ ગઈ તો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp