WTC ફાઇનલમાં કિશનને ડેબ્યૂ કરાવવું યોગ્ય નહીં હોય, DKએ જણાવ્યું કારણ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચમાં ભારતીય વિકેટકીપરને લઈને ચર્ચા ચાલી રહી છે. ટીમ પાસે કે.એસ. ભરત અને ઇશાન કિશનના રૂપમાં વિકલ્પ ઉપસ્થિત છે. બંને જ ખેલાડી વધારે અનુભવી નથી, પરંતુ ઇશાન કિશનનું અત્યાર સુધી ટેસ્ટ ડેબ્યૂ થયું નથી. તો દિનેશ કાર્તિકનું પણ માનવું છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇશાન કિશનને ડેબ્યૂ ટેસ્ટ રમાડવો, ખેલાડી પાસે જરૂરિયાતથી વધારે આશા લગાવવા જેવું છે.

ઇશાન કિશનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન કે.એલ. રાહુલ ઇજાગ્રસ્ત થવા અને એકમાત્ર ટેસ્ટથી બહાર થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓવલ, લંડનમાં રમવાની છે. આ મેચ માટે ભારતના કટલાક ખેલાડી પહોંચી ચૂક્યા છે, જ્યારે IPL 2023માં વ્યસ્ત ખેલાડી પોત પોતાની ટીમોની મેચ પૂરી થયા બાદ રવાના થશે. ICC રિવ્યૂ પર વાત કરતા દિનેશ કાર્તિકે કે.એસ. ભરતને ફાઇનલ મેચમાં વિકેટકીપર તરીકે એક સીધી પસંદ બતાવ્યો છે.

તેણે ભાર આપીને કહ્યું કે, ઇશાન કિશનને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ માટે આ પ્રકારે મંચ પર ઉતારવો જરૂરિયાતથી વધારે માગવા જેવુ હશે. મને લાગે છે કે, કે.એસ. ભરત ખૂબ જ સીધો વિકલ્પ હશે કેમ કે ઇશાન કિશનને પોતાની ડેબ્યૂ અને સીધો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમાડવો થોડી ઘણી વધુ માગ રહી છે. દિનેશ કાર્તિકનું એવું પણ માનવું છે કે, ઇશાન કિશનની તુલનામાં કે.એસ. ભરત થોડો સારો વિકેટકીપર છે અને આ વસ્તુ તેના પક્ષમાં જઈ શકે છે. દિનેશ કાર્તિકે કહ્યું કે, તથ્ય એ છે કે કે.એસ. ભરત પોતાની વિકેટકીપિંગના કારણે થોડી લીડ પોતાના પક્ષમાં લઈ લે છે એટલે મને લાગે છે કે તેઓ ફાઇનલમાં કે.એસ. ભરત સાથે જશે.

WTC માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા  (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, કે.એસ. ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ, ઇશાન કિશન.

રિઝર્વ ખેલાડી:

સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ કુમાર.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.