‘પંડ્યા નહીં રમી શકે ટેસ્ટ ક્રિકેટ’, જાણો કપિલ દેવે કેમ આપ્યું આ બોલ્ડ નિવેદન

વર્ષ 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ કપિલ દેવે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પંડ્યાની ફિટનેસથી લઈને તેના ટેસ્ટ ક્રિકેટ રમવા પર પોતાની વાત રાખી. કપિલ દેવના જણાવ્યા મુજબ, હાર્દિક પંડ્યા ખૂબ ફિટ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ નહીં રમી શકે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ વર્ષ 2017માં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમ્યા બાદ તેણે ક્યારેય ભારત માટે સફેદ જર્સી પહેરી નથી.

વર્ષ 2018માં એશિયા કપમાં હાર્દિક પંડ્યાને પીઠમાં ઇજા થઈ હતી. ત્યારબાદ તે લિમિટેડ ઓવર્સ ક્રિકેટ (વન-ડે અને T20)માં જ રમી રહ્યો છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટથી ખૂબ દૂર છે. હાલમાં જ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને એક નિવેદન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે, જો ભારતને વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સફળ થવું હોય તો તેને બેન સ્ટોક્સ જેવો ઓલરાઉન્ડર જોઈએ છે. આ જ બહેસ વચ્ચે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કપિલ દેવને પૂછવામાં આવ્યું કે ‘શું હાર્દિક પંડ્યા ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડરના રૂપમાં રમી શકશે?

આ સવાલના જવાબમાં પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, ‘મને નથી લાગતું કે હાર્દિક પંડ્યા કરી શકશે. મેં તેનો “બોલબોર્ડ ટુડે”માં ફોટોગ્રાફ જોયો, મને ખબર નથી કે તેણે કંઈક ટચ-અપ કર્યું હતું, પરંતુ તેની બોડી સારી દેખાઈ રહી હતી, એવી ફિટનેસ ભારતમાં ઘણા ઓછા લોકોની હોય છે. હાર્દિક પંડ્યાએ પોતાની કુશળતા મુજબ વધારે ક્રિકેટ રમવી જોઈએ અને તે ફિટ છે તો ટેસ્ટ ક્રિકેટ પણ રમવી જોઈએ. નોંધનીય છે કે ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ 11 મેચ રમી છે, જેમાં તેણે 532 રન બનાવ્યા અને 17 વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યાને લઈને ભારતીય દિગ્ગજને વધુ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમારા પછી જો કોઇ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનું નામ લેવામાં આવે છે તો તે છે હાર્દિક પંડ્યાનું, તમારા મુજબ ભારતીય ક્રિકેટમાં એવા ખેલાડી વધારે કેમ આવી શકતા નથી? તેના પર કપિલ દેવે કહ્યું કે, મને નથી લાગતું કે ખેલાડીઓની તુલના કરવી યોગ્ય છે. છેલ્લા 20-30 વર્ષોમાં ભારતીય ક્રિકેટે ટીમને ઘણા શાનદાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર આપ્યા છે. ભારતીય ટીમને પેસ બોલિંગ ઓલરાઉન્ડર સાથે સાથે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરની પણ જરૂરિયાત છે. એવું નથી કે ભારતીય ટીમ પાસે આ સમયે એક પણ ઓલરાઉન્ડર નથી. અત્યારે ભારતીય ટીમ પાસે સારા ઓલરાઉન્ડર છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.