સુનિલ ગાવસ્કરે મીડિયાને આપી મોટી સલાહ, બોલ્યા- વિદેશી કમેન્ટેટરોને ન પૂછો આ વાત

વર્ષ 2023માં ભારતમાં આયોજિત થનારો વન-ડે વર્લ્ડ કપ થોડા મહિના જ દૂર છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ કથિત રીતે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાંથી 15 ખેલાડીઓને માર્કી ઇવેન્ટ માટે પસંદ કરવામાં આવશે. જો કે, બોર્ડે આ પુલ સિવાય પણ અન્ય ખેલાડીઓ માટે દરવાજો ખુલ્લો છોડી રાખ્યો છે, પરંતુ એ શરત કે ઘરેલુ સર્કિટમાં તેણે અસાધારણ પ્રદર્શન કર્યું હોય. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, વિદેશી કમેન્ટેટર્સ પર ધ્યાન આપવું ન જોઇએ.

BCCIએ જે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, તેમના લિસ્ટને સાર્વજનિક કરી નથી. એવામાં કેટલાક ખેલાડીઓની નિંદા થઇ અને કેટલાકના વખાણ કરવામાં આવ્યા છે, જે અત્યાર સુધી ટીમમાંથી બહાર છે. મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ભારતીય મીડિયાને સલાહ આપી છે કે, તેઓ વિદેશી કમેન્ટેટરોને એમ ન પૂછે કે તેઓ વન-ડે વર્લ્ડ કપમાં કોને જગ્યા આપશે. તેમણે પોતાના તર્કનું સમર્થન કરતા દાવો કર્યો કે, કઇ રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 દરમિયાન કોમેન્ટેટરો દ્વારા એક ખેલાડીનું મજાક ઉડાવવામાં આવ્યું અને તે એક યોગ્ય ઉમેદવારથી આગળ ભારતની વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મેળવી ગયો.

એ સિવાય તેમણે જે ખેલાડીનું નામ ન લીધું, તેનું કદાચ જ ઈંગ્લેંડમાં ભારતીય ટીમ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો કેમ કે સેમીફાઇનલમાં બહાર થઇ ગઇ હતી. એક અખબાર માટે લખેલી કોલમમાં સુનિલ ગાવસ્કરે કહ્યું કે, આશા છે કે આપણી મીડિયા વિદેશી કમેન્ટેટરો પાસે એ સવાલ પૂછવા નહીં જાય કે ભારત માટે કોને પસંદ કરવા જોઇએ. એ ક્યારેય ન ભૂલો કે આ કમેન્ટેટર પોતાના દેશ પ્રત્યે વફાદાર છે અને વાસ્તવમાં એવા નામોનું સૂચન કરી શકે છે જેની ભારતને જરૂરિયાત નથી.

આપણે જોયું કે ગત વર્લ્ડ કપમાં શું થયું હતું, જ્યાં એ સીઝનની IPL દરમિયાન વિદેશી કમેન્ટેટરો દ્વારા એક નવા નામ પર ભાર આપવામાં આવ્યો હતો અને અંતે તેને પસંદ કરવામાં આવ્યો હતો અને ભારત કદાચ જ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શક્યું હતું. ક્રિકેટ ખૂબ લોકપ્રિય છે એવામાં એ સમજમાં આવે છે કે ક્રિકેટને લઇને ન્યૂઝ જરૂરી છે, પરંતુ સારું હશે કે આપણે વિદેશીઓને એ ન પૂછીએ કે આપણી ટીમ કેવી હોવી જોઇએ કેમ કે ત્યારે આપણે ભારતીય ફેન્સ હસી પાત્ર બની શકીએ છીએ અને એ મજાકની વાત નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.