ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ જીતીને હાર્દિક પંડ્યાએ જુઓ શું કહ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 અને વન-ડે સીરિઝ બંને સમાપ્ત થઇ ગઇ છે. વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરી તો T20 સીરિઝ ભારતીય ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી. T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે 166 રનોની મોટી જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતીય ટીમે સીરિઝ 2-1થી સીરિઝ પણ પોતાના નામે કરવામાં સફળ રહી.

તો આ જીતમાં પહેલા તો શુભમન ગિલની સદીની મદદથી સ્કોરબોર્ડ પર 234 રનોનું વિશાળ લક્ષ્ય લગાવવામાં સક્ષમ રહી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ભારતીય બૉલિંગનો દબદબો રહ્યો. જેમાં સૂર્યકુમાર યાદવે અવિશ્વસનીય ફિલ્ડિંગ કરીને મહત્ત્વની ભૂમિકા ભજવી. તો હવે આ ઐતિહાસિક જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સીરિઝ સમાપ્ત થયા બાદ ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ના એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો.

તેણે આ સીરિઝમાં 33ની એવરેજથી બેટિંગ કરતા 66 રન અને સૌથી વધુ 5 વિકેટ લીધી છે. જેના કારણે તેને આ એવોર્ડ આ આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ મોટી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, મને (મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ) જીતવામાં કોઇ પરેશાની નથી, પરંતુ અહીં ઘણા એવા પ્રદર્શન કરનારા ખેલાડી હતા, જે અસાધારણ હતા. આ મેન ઓફ ધ સીરિઝ અને ટ્રોફી આખા સપોર્ટ સ્ટાફને જાય છે. હું આ બધા માટે ખુશ છું. (વસ્તુઓને અલગ રીતે કરવા પર) સાચું કહું તો હું હંમેશાં આ પ્રકારની રમત રમુ છું. હું વાંચવાનો પ્રયત્ન કરું છું કે શું જરૂરી છે, પૂર્વકલ્પિત વિચાર નથી.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ આગળ પોતાના નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે તે પોતાની કેપ્ટન્સીમાં વસ્તુઓને સરળ રાખવા માગે છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, કેપ્ટન તરીકે તે પડે છે તો પોતાની શરતો પર નીચે પાડવા માગે છે. પોતાની કેપ્ટન્સીમાં તેને સરળ રાખવા માગું છું અને પોતાની જાતને બેક કરવા માગું છું. મારો એક સરળ નિયમ છે. જો હું પડું છું તો હું પોતાની શરતો પર નીચે જઇશ. અમે પડકાર લેવાની વાત કરી છે. જ્યારે અમે IPL ફાઇનલ રમી તો લાગ્યું કે બીજી ઇનિંગ મજેદાર છે, પરંતુ આજે આ સપાટી પર હું સામાન્ય મેચ બનાવવા માગતો હતો કેમ કે તે નિર્ણાયક હતી. એટલે અમે પહેલા બેટિંગ કરી. આશા છે કે અમે આ પ્રકારના પ્રદર્શન યથાવત રાખીશું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.