શમીને જોઈને ફેન્સે લગાવ્યા જય શ્રીરામના નારા, પૂર્વ IAS બોલ્યા- રમતમાં પણ..

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના મેદાનમાં પહોંચવા પર કેટલાક ફેન્સ જય શ્રીરામનો નારો લગાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા ઘણા લોકોને જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટેસ્ટ મેચના બીજા દિવસે બંને ટીમોના ખેલાડી મેદાન પહોંચી રહ્યા હતા.

આ દરમિયાન મોહમ્મદ શમીને જોઈને ફેન્સ તરફથી જય શ્રીરામના નારા લગવામાં આવી રહ્યા હતા. એક ફેન બૂમ મારતા કહે છે, ‘શમી.. જય શ્રીરામ.’ જો કે, મોહમ્મદ શમીએ આ પ્રકારના નારા લગાવતા લોકોને કોઈ રીએક્શન ન આપ્યું. પૂર્વ IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે આ વીડિયોને શેર કરતા લખ્યું કે, ‘રમતમાં પણ ધર્મને ઘૂસાડી દીધો.. ‘શમી જય શ્રીરામ’ના નારા, મોટેરા સ્ટેડિયમમાં. કઈ દિશામાં ધકેલાઇ રહ્યો છે દેશ? પૂર્વ IAS દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર લોકો જાત જાતના રીએક્શન આપી રહ્યા છે.

કેટલાક લોકોએ કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ન થવી જોઈએ. તો કેટલાક યુઝર્સે કહ્યું કે, એવા લોકો વિરુદ્ધ કાર્યવહી થવી જરૂરી છે. @sachinjain નામના યુઝરે સવાલ કર્યો કે, ‘જય શ્રીરામ બોલવામાં તમને શું આપત્તિ છે? ભારતમાં જય શ્રીરામ નહીં બોલવામાં આવે તો ક્યાં બોલવામાં આવશે? @SharmaAashriti  નામના યુઝરે લખ્યું કે, એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, ખેલાડીઓનું ધ્યાન પોતાની તરફ કરવા માટે જય શ્રીરામ બોલી રહ્યા છે, જ્યારે ખેલાડી મેદાનમાં નમાજ પડે છે તો તમે ધર્મ પર કંઈ બોલતા નથી.

@mishraarun539 નામના યુઝરે કમેન્ટ કરી કે, જ્યારે શમીને પરેશાની નથી તો તમને શું પરેશાની થઈ રહી છે ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું કે, એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ કયા લોકો છે જે એમ કરવાની હિંમત કરી રહ્યા છે. @Raisaheb_sp નામના યુઝરે લખ્યું કે, આ પ્રકારની ઘટનાઓ દુઃખદ અને ચિંતાજનક છે. એવા લોકોને સજા આપવી જરૂરી છે, નહિતર તેમની હિંમત એવી રીતે વધેલી રહેશે. @AThuaariya નામના એક યુઝરે કમેન્ટ કરી કે, રોડ શૉ કરી કરીને દેશની જનતાને રોડ પર લાવી દીધી છે. એક અન્ય યુઝરે લખ્યું કે, એવા લોકોએ દેશમાં નફરત વધારવાનું કામ કર્યું છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.