ગૌતમ ગંભીર હવે આ ભારતીય ખેલાડી પર બગડ્યા, કહ્યું- તેને કોહલીની જેમ...

ભારતે રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની ત્રીજી વનડે ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ જીત નોંધાવી અન્ય એક સીરિઝ પોતાના નામે કરી લીધી. બેટિંગમાં જ્યાં વિરાટ કોહલી અને શુભમન ગિલે શતક ફટકાર્યા, તો બોલિંગમાં મોહમ્મદ સિરાઝ, શમી અને કુલદીપ યાદવે પોતાનો કમાલ દેખાડ્યો. કેપ્ટન રોહિત શર્મા 42 રન બનાવીને આઉટ થયો ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે રોહિતના ફોર્મ પર સવાલો ઉઠાવ્યા છે. 

મેચ શરૂ થઈ તો રોહિત લયમાં જોવા મળ્યો હતો. તેણે શુભમનની સાથે મળીને શ્રીલંકાના બોલરોની સારી એવી ધોલાઈ કરી હતી. બંને બેટ્સમેને પહેલી વિકેટ માટે 15.2 ઓવરમાં 95 રન બનાવ્યા હતા. એક સમયે લાગી રહ્યું હતું કે રોહિત આ મેચમાં મોટી ઈનિંગ રમશે. પરંતુ કરુણારત્નેની બોલ પર એક લાંબો શોટ રમવાના ચક્કરમાં તે કેચ આપી બેઠો હતો. રોહિતે 49 બોલમાં 2 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 42 રન બનાવ્યા હતા.

ગૌતમ ગંભીરે રોહિત અંગે વાત કરતા કહ્યું કે, આપણે વિરાટની જેમ રોહિતને પણ સ્પેસ આપવાની જરૂર છે, વિરાટની સાથે પણ તે જ થયું હતું અને 3 વર્ષ સુધી તેના બેટથી એક શતક ફટકારાઈ ન હતી. તેવું જ રોહિત સાથે છે. 50 ઈનિંગ રમાઈ ગઈ છે પરંતુ હજુ સુધી શતક નથી બનાવી શક્યો. કમેન્ટેટર ગંભીરે કહ્યું કે, જો આપ એક અથવા બે સીરિઝમાં સો રન નથી બનાવી શકતા તે અલગ વાત છે. પરંતુ રોહિત પહેલા આવું કરવામાં સફળ રહેતો હતો. ત્રીજી વનડેમાં તે સારી લયમાં હોવા છતાં ચૂકી ગયો, તેવામાં રોહિતે વર્લ્ડ કપ પહેલા કમાલ દેખાડવો પડશે. તેણે પોતાનું 2019નું ફોર્મ પાછું લાવવું જોઈએ.

શ્રીલંકા વિરુદ્ધની પહેલી વનડેમાં રોહિત 17 રનથી શતક માટે દૂર રહી ગયો હતો. તેણે 67 બોલમાં 83 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેનું બેટ ચૂપ રહ્યું અને તે 17 રન જ બનાવી શક્યો હતો. રોહિતે 2019 વનડે વર્લ્ડ કપની 9 મેચમાં 648 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી પાંચ શતક બનાવવામાં આવી હતી. ગઈકાલની મેચનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો. તેણે નોટઆઉટ રહીને 166 રન બનાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.