ભારતીય ટીમ સૂર્યકુમારની બેટિંગ પર વધારે નિર્ભર ન રહે, જાણો કોણ બોલ્યું આવું

સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં કમાલનો ખેલ દેખાડી રહ્યો છે. શ્રીલંકા વિરુદ્ધની ત્રીજી T20 મુકાબલામાં પણ સૂર્યાએ 112 રનની યાદગાર ઈનિંગ રમી છે. તેની આ ઈનિંગના લીધે ભારતે મેચમાં 91 રનથી જીત મેળવીને સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો હતો. T20 પછી હવે વનડે સીરિઝનું આયોજન છે, જેની શરૂઆત 10 જાન્યુઆરીના થશે.

શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝમાં જીત મેળવવા છતાં ટીમ ઈન્ડિયા માટે બધુ સારું નથી. ત્રણ મેચની T20 સીરિઝમાં સૂર્યકુમાર સિવાય કોઈ ટોપ ઓર્ડરનો બેટ્સમેન યોગદાન આપી શક્યો ન હતો. જ્યારે બોલિંગમાં પણ યુવાન બોલરો પાસેથી સારા પરફોર્મન્સની આશા હતી પરંતુ તેઓ પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર તથા સિલેક્ટર સબા કરીમે ભારતીય ટીમને વોર્નિંગ આપી છે. સબા કરીમનું માનવું છે કે ભારતીય ટીમ T20માં સફળતા હાંસલ કરવા માટે સૂર્યકુમારની બેટિંગ પર વધારે નિર્ભર રહી શકે તેમ નથી.

સબા કરીમે ભારતીય બેટ્સમેનોને એકસાથે ભેગા મળીને સારું પ્રદર્શન કરવા માટે આગ્રહ કર્યો છે. સબા કરીમે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું, ભારત સૂર્યકુમાર યાદવ પર ઘણું વધારે નિર્ભર રહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં તે આગામી મેચમાં ટીમ માટે પરેશાની સાબિત થશે. હું ઈચ્છું છું કે અન્ય બેટ્સમેનો પણ પોતાનું મહત્વનું યોગદાન આપે. સૂર્યકુમાર યાદવ સિવાય બાકીના બેટ્સમેનોએ થોડું યોગદાન આપ્યું પરંતુ મેચ જીતવા માટેનું પ્રદર્શન જોવા મળ્યું ન હતું.

સબા કરીમે આગળ વાત કરતા કહ્યું કે, ટી20માં રાહુલ ત્રિપાઠીને ત્રીજા નંબર પર વધારે તક મળવી જોઈએ. કરીમનું માનવું છે કે રાહુલ ત્રિપાઠીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ આ નંબર પર બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું છે. સબા કરીમે કહ્યું કે, નંબર 3 રાહુલ ત્રિપાઠી માટે એક આદર્શ સ્થિતિ છે અને તે ત્યાં વધારે સહજ છે. આ એક એવું સ્થાન છે, જ્યાં તેણે પોતાની આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે પણ બેટિંગ કરી છે અને પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ટોપના બેટ્સમેનોએ આ રીતના પ્રદર્શનની જરૂર હોય છે.

શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. સૂર્યાએ ત્રણ મેચમાં 85ની સરેરાશ અને 175.2ના સ્ટ્રાઈક રેટથી 170 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી એક શતક અને એક અર્ધશતક મારવામાં આવ્યું છે. અક્ષર પટેલ 117 રનની સાથે આ સીરિઝમાં સૌથી વધારે રન બનાવનારમાં ત્રીજા ક્રમ પર છે. આ બે સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન સીરિઝમાં 60 રન પણ બનાવી શક્યા ન હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.