મિંયાદાદ સુધરતો નથી, ભારત સામે ફરી આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન

PC: crictips.com

ભારત તરફથી પાકિસ્તાનમાં એશિયા કપ 2023 રમવાની ના પાડી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે જો એશિયા કપ કોઇ ન્યૂટ્રલ વેન્યુ પર થાય છે તો જ તેમાં તે ભાગ લેશે. ભારત તરફથી યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં શિફ્ટ કરવાની માગ કરવામાં આવી છે. આ વિવાદ વચ્ચે પાકિસ્તાનન પૂર્વ બેટ્સમેન જાવેદ મિયાદાદે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઇએ જાવેદ મિયાદાદે શું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનન પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાદાદનું કહેવું છે કે જો ભારત પાકિસ્તાનમાં આવતું નથી તો આપણે પણ તેમને ત્યાં (ભારત) ન જવું જોઇએ. અમારી ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે. એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો. હાલમાં જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI સચિવ જય શાહે સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે. જો તે બહાર શિફ્ટ થાય છે તો ભારતીય ટીમ તેમાં હિસ્સો લેશે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદે કહ્યું કે, ICCએ બધા ટીમો માટે નિયમ બનાવવો જોઇએ, જ્યાં જો કોઇ ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેતી નથી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભારતનું ક્રાઉડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જો તેની ટીમ હારે છે તો ક્રાઉદ બેકાબૂ થઇ જાય છે. તેમણે કહ્યું કે આવીને રમો, રમતા કેમ નથી. ભાગો છો, તેમને મુશ્કેલી થઇ જાય છે ભાગે છે. એક રિપોર્ટર દ્વારા એમ પૂછવામાં આવતા કે શું ભારત, પાકિસ્તાનમાં રમવાની ના પાડી રહ્યું છે કેમ કે તે ડરે છે. જો તે હારી જાય છે. તેના પર મિયાદાદ સહમત થઇ જાય છે.

મિયાદાદ કહે છે આપણાં સમય પર તેઓ એટલે રમતા નથી કેમ કે તેઓ હારે છે, તો મુશ્કેલી થઇ જાય છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 આ વખત પાકિસ્તાનમાં થવાનો છે, પરંતુ ભારતીય ટીમે ત્યાં જવાની ના પાડી દીધી છે. તો પાકિસ્તાનનું કહેવું છે કે, જો ભારત તેમના દેશમાં એશિયા કપ રમવા નહીં આવે તો તે પણ વન-ડે વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારતનો પ્રવાસ નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCIની આ તકરાર ક્યાં જઇને સમાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp